________________
શ્રી નેમિ સૌરભ નિર્ણય પૂછતા હોય તેવી અદાથી પૂજ્ય ગુરૂ ભગવતે પૂછ્યું.
બે-એક વર્ષે મળેલ અમૃતલાલને એકાએક આ સવાલ પૂછતાં, જરાય વિલંબ કર્યા સિવાય તેમણે બેધડક જવાબ આપે. “ હા જી, તૈયાર છું.” તે બેલા ઉદયવિજયજીને, શાસનસમ્રાટશ્રીએ આજ્ઞા કરી. પૂ. પં. શ્રી ઉદયવિજયજી મ. ને બેલાથી અમૃતલાલની દીક્ષા માટે તુરત સારો દિવસ કયારે આવે છે એ જોવા કહ્યું. પંચાગ જોયું તે ભાગ્યયોગે બીજે જ દિવસ એટલે જેઠ વદ છઠ્ઠને દિવસ દીક્ષા માટે ઉત્તમ વેગ વાળ નીકળે.
તે સાંભળીને અમૃતલાલ મને મન બહુ રાજી થઈ ગયા. .
પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ જાવાલ શ્રીસંઘના મુખ્ય આગેવાનેને બોલાવી જણાવ્યું: “આ મુમુક્ષુ અમૃતલાલ બોટાદથી દીક્ષા લેવા આવ્યા છે. આવતી કાલે સવારે મુહુર્ત છે.” દીક્ષાની વાત સાંભળી સૌ આગેવાને આનંદીત થયા; અને દીક્ષાનું શુભ કાર્ય ઉ૯લાસભાવે ઉજવવા તૈયાર થયા.
જાવા ગામમાં આવતીકાલે દીક્ષા છે, આ સમાચાર વીજળી વેગે ફેલાઈ ગયા, આખા ગામમાં ઉત્સાહનું
૩૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org