Book Title: Nemisaurabh Part 1
Author(s): Niranjanvijay
Publisher: Khanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 581
________________ શ્રી નેમિ સૌરભ વાવૃદ્ધ હતા. તેઓ પણ પૂજ્યશ્રી પ્રત્યે પૂજ્યબુદ્ધિથી સેવા કરવા આવતા. તપાગચ્છના દેરાસરને વહીવટ તેમના હસ્તક હતું. તે પૂજ્યશ્રીએ સંઘને સંપાવી દીધો. અહિં યતિઓ હસ્તલિખિત પુસ્તકે વેચવા આવતા. મણ જાતિના લોકો પણ જુના પુસ્તક વેચવા આવતા, તેઓ તેળી તેળીને પુસ્તક વેચતા. પૂજ્યશ્રી, પાસે તેઓ આવ્યા ત્યારે પૂજ્યશ્રીએ તેમને “સરસ્વતિને તળવાની ના પાડી. શ્લોકોની ગણત્રી કરીને વેચવા કહ્યું, પણ અજ્ઞાની લેકોને કયાંથી આવડે ? - આવા મુલ્યવાન પુસ્તકે શ્રાવકો પાસે ખરીદાવી બચાવી લીધા. ફલેદીમાં ધર્મ પ્રભાવનાના અનેકાનેક કાર્યો કરાવ્યા. સુકા રાજસ્થાનમાં ધમની આબોહવા સર્જતા પૂજ્યશ્રી સંવત ૧૭૩નું ચાતુર્માસ પૂર્ણ થવાની તૈયારી હતી ત્યારે પૂજ્યશ્રીને મેલેરીયા તાવ આવવા લાગે. આ સમાચાર અમદાવાદ પહોંચતાં શેઠ શ્રી જમનાભાઈ ભગુભાઈ સહકુટુંબ સાથે ડો. ત્રિકમભાઇને લઈને ફલેદી આવ્યા. ડોકટરના એગ્ય ઔષધોપચારથી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા. શેઠ વિગેરે મારવાડના તીર્થોની યાત્રા કરીને અમદાવાદ પહોંચી ગયા. ૪૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612