________________
શ્રી નેમિ સૌરભ
બીજે દિવસ થયે પૂજય ગુરૂદેવે પોતાના પ્રશિષ્ય મુનિ “શ્રી ચારિત્રવિજયજીને બધી વાત સમજાવી દીધી કે આ પ્રમાણે કરવાનું છે. વ્યાખ્યાનને સમય થયે એટલે પૂજ્ય ગુરૂદેવે શ્રી નેમવિજયજીને બોલાવીને ફરમાવ્યું: “નેમવિજય ! આ સુબોધિકાના પાના લઈને, વ્યાખ્યાનમાં જા.” આમ કહીને બે ધિકાની પ્રાચીન હરત લેખિત પડિમાત્રાવાલી પ્રત તેમના હાથમાં આપી. આ " વિનયી શિષ્યના મુખમાં “તહત્તિ” સિવાય બીજે શે જવાબ હોય ? તેમણે જવાની તૈયારી કરી, ત્યાં જ શ્રી ગુરૂદેવે કહ્યું: “ કપડે કેમ આવો મેલો પહેર્યો છે લે, આ મારા કપડા પહેરી જા.” જોઈ કૃપાળું ગુરૂદેવની કેવી કૃપા ! કપ પણ પિતાને આપે.
એમ જ થયું. મનમાં જરા આશ્ચર્ય તે થયું, પણ એને શમતા વાર ન લાગી. “ગુર્વાજ્ઞા હતી ને?”
વ્યાખ્યાન સાંભળવા માટે તેઓ નીચેની પાટ પર બેસવા ગયા, ત્યાં જ પૂજ્ય ચારિત્રવિજયજી મહારાજે કહ્યું કે, ત્યાં નહિ, અહીં ઉપર આવે. મારી બાજુમાં બેસે.
પૂજ્યશ્રીએ પૂછ્યું: એમ કેમ?
જ આ પ્રત આજે પણ ખંભાતના શ્રી વિજય નેચિસૂરિ જ્ઞાન ભંડારમાં છે.
છંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org