________________
શ્રી નેમિ સૌરભ આમ આપણું, દયાના દરિયા સમા, પૂજ્યશ્રીની તીવ્ર બુધ્ધિ-શકિતને પરિણામે અનેક પશુઓને જીવનનું દાન મળી ગયું. - મહાપુરૂષના પરિચયની વાત તે દૂર રહી, પણ માત્ર તેમની દૃષ્ટિ પડે કે બેડો પાર થઈ જાય! અહીં પણ એવું જ બન્યું. પૂજ્યશ્રીની દ્રષ્ટિ પડી અને પશુઓને સહજમાં જીવતદાન મળ્યું.
પેટલાદ એ ગાયકવાડ સરકારનું સ્થાન હોવાથી ત્યાં વારંવાર સૂબા, મામલતદાર વગેરે અમલદારનું આગમન થતું. તેઓ પિટલાદના સ્થાનિક ન્યાયાધીશ આદિ અધિકારીઓની સાથે પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં આવતા, અને પૂજ્યશ્રીને અહિ સામય ઉપદેશ સાંભળીને અતિ પ્રસન્ન થતા, ન્યાયધીશના હૃદયમાં પણ એ ઉપદેશને પ્રભાવે અહિંસા-ધર્મ વચ્ચે હતે. અને તેથી જ પેલે કસાઈ કેસ (CASE) માં ફાવ્યું નહોતે.
ઉપર્યુકત બનાવ પછી પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં જીવદયા-અબોલ પશુઓને બચાવવા, કસાઈ ખાનેથી છોડાવવા, તેમજ તેમનું વ્યવસ્થિત પિષણ થાય.-આ માટે ખુબ ભાર મૂકે. પેટલાદની પાંજરાપોળમાં પૈસાના અભાવે પશુઓને સાચવવાના ચોગ્ય સાધનો ન હતા. પણ પૂજ્યશ્રીના ઉપદેશથી ત્યાંના વેપારી મંડળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org