________________
શ્રી નેમિ સૌરભ
વડીલ મુનિશ્રીએ કહ્યું: “હું કહું છું ને! તમે ઉપર બેસે.” અહીં પણ આશ્ચર્ય થયું. પણ વડીલની આજ્ઞા હતી. એટલે ઉપર બેઠા. | મંગલાચરણ કરીને વ્યાખ્યાન શરૂ થયું. એકાદ પાનું વંચાયું, કે તરત જ મુનિ શ્રી ચારિત્રવિજયજી મહારાજે પચ્ચખાણ આપવાની હાકલ કરી.
આજે આમ કેમ, મહારાજ પચ્ચકખાણની ઉતાવળ કેમ? હજી તે ઘણી વાર છે.” નેમવિજયજીએ પૂછયું. તેમની આ શ્ચર્ય પરંપરા વધતી જ જતી હતી. હજી સુધી તેમને કલ્પના સરખીય નથી કે મારે વ્યાખ્યાન વાંચવાનું છે.
જવાબ મળે? પર્વ દિવસોમાં જરદી પચ્ચખાણું આપી દઈએ તે તપસ્વીઓને અનુકૂળતા રહે. અને પચ્ચકખાણ અપાઈ જતાં જ પૂજ્યશ્રીના હાથમાં પાના આપી–સપીને મુનિશ્રી ચારિત્રવિજયજી પાટ પરથી ઉપરી ગયા.
પૂજયશ્રીએ પૂછયું: “આ શું ? આપ કેમ ઉતરી
ગયા ?”
- તેઓએ સમિત વદને જવાબ આપે પૂજ્ય ગુરૂ મહારાજની આજ્ઞા છે, કે બાકીનું વ્યાખ્યાન તમારે વાંચવું. આમ કહી તેઓ જતા રહ્યા.
1969
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org