________________
શ્રી નેમિ સૌરભ
હું ભાગ્યવાનું કે આપના વિચારમાં વસું છું.” શ્રી નેમચંદભાઈએ કહ્યું.
હજી જેની મુછને દોરે પુરો કુટયો નથી, જેણે પંદર વર્ષ પૂરા કર્યા નથી. તે યુવાનને આ અવાજ સાંભળીને માણસને સમજાવવામાં હોંશિયાર ગણાતા રૂપશંકરભાઈ અઘી હારી ગયા.
છતાં પિતાની લાક્ષણિક ઢબે તેમણે ભાઈ શ્રી. નેમચંદને પૂછ્યું “તારા માતા પિતાને તરછોડીને તું દીક્ષા લેવા માગે છે, એ વાત શું સાચી છે?”
રૂપશંકરભાઈના અમલદારી તોરથી ડાયા સિવાય શ્રી નેમચંદભાઈએ પણ એટલી જ સ્પષ્ટતા પૂર્વક કહ્યું,
હા, કાકા એ વાત સાચી છે, પણ એ સાચું નથી કે હું મારા માતાપિતાને તરછોડવા માંગુ છું.”
જે તું દીક્ષા લે તે તારા માતાપિતાને તરછોડયા જ ગણાયને?” રૂપશંકરભાઈ એ પ્રશ્ન કર્યો.
આ સાંભળીને સામે ઉભા ઉભા જ બોલ્યા : “કાકા આત્માથીને આત્મા આખા વિશ્વને સગે હોય છે, આખું વિશ્વ એનું કુટુંબ બની જાય છે, એ હકીકત. આપ જાણતા જ હશે ?”
૩૮ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org