________________
શ્રી નેમિ સૌરભ
આમ લગભગ સાડા પંદર વર્ષની વયે શ્રી નેમચંદ-ભાઈના મનમાં સર્વ વિરતિ પણાની ભાવનાનું ઉત્તમ બીજ રોપાઈ ગયું હતું.
ઉત્તમ ભૂમિમાં વાવેલા ઉત્તમ બીજને પણ અંકુરિત થવા માટે પાણ-પવન-પ્રકાશ વગેરેની જરૂર પડે છે, તે જાણતા મુમુક્ષુ શ્રી નેમચંદભાઈ ગુરૂ-વાણીના પાણી, સ્વાધ્યાયના પવન અને તપ-જપના પ્રકાશ વડે સંયમની ભાવનાના બીજને વધુ સુદઢ બનાવવા માંડયા.
આત્માના સ્વભાવને અભ્યાસ વધતાં તત્વપિપાસુ શ્રી નેમચંદભાઈને લાગ્યું કે, માતા પિતા, ભાઈ-બહેન તેમજ ગણત્રીના કુટુંબીજનોને “મારાં” માનીને રંક જીવનમાં હવે મને રસ પડે તેમ નથી, હવે મને સરસ લાગે છે. છ કાય જીવ સાથેની સાચી મૈત્રીવાળું જીવન માટે મારે વહેલી તકે તેવું સરસ જીવન સ્વીકારી લેવું જોઈએ.
આ અરસામાં મહુવાથી તેમના પૂજ્ય પિતાશ્રીની ચિઠી આવી કે “તારા દાદીમાં સ્વર્ગવાસી થયાં છે. '
આ સમાચાર વાંચીને શ્રી નેમચંદભાઈએ વિચાર્યું કે “સંયોગ તેને વિગ થવાનું જ છે.” - આત્માના ગુણે સાથે ગેલ કરતા શ્રી તેમચંદભાઈ એ જવાબમાં લખ્યું કે, “દાદીમાને વહાલી જિનભક્તિમાં જીવ પવાવવાં એજ તેમનું સાચું કારજ છે. કર્મજનિત
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org