________________
૧૩
શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ૪. ગહ-બીજા સામે દેષ પ્રકટ કરવા. ૫. અપમાન-ગ્ય આદર કર્યા વિના બીજાની માનહાનિ કરશે નહિ. કેમકે “શંખ શ્રાવકધર્મમાં પ્રીતિવાળા અને દઢ છે. તેમણે પૌષધ વ્રતમાં આખી રાત પ્રમાદને ત્યાગ કરીને સુદષ્ટિ જ્ઞાનીનું જાગરણ કર્યું છે. જામરિકા કેટલા પ્રકારે છે?
પ્રશ્ન-હે પ્રભે ! જાગરિકા કેને કહેવાય અને તે કેટલી છે? ભગવંતે કહ્યું કે, જાગરિકા ત્રણ છે, તે આ પ્રમાણે –
(૧) બુદ્ધ જાગરિકા-ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શનના માલિકે અરિહંત પરમાત્માઓ બુદ્ધ જાગરિકા કરે છે, કેમકે તેમને પ્રમાદ અને નિદ્રાને સર્વથા અભાવ હોય છે.
(૨) અબુદ્ધ જાગરિકા–જે મુનિરાજે પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે, પરંતુ કેવળજ્ઞાનના માલિક નહીં થયેલા હોવાથી છદ્મસ્થ છે, અબુદ્ધ છે; માટે તેઓને અબુદ્ધ જાગરિકા કહી છે.
(૩) સુદર્શન જાગરિકા-જીવાજીવાદિ તને જાણનારા સમ્યગદર્શની શ્રાવકને સુદર્શન જાગરિકા કહી છે.
આ પ્રમાણે કહીને પ્રભુએ ત્રણ પ્રકારની જાગરિકા સમજાવી. - , ત્યારપછી બીજા શ્રાવકોના ક્રોધાદિના ઉપશમન માટે શંખ” શ્રાવકે ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભે! ક્રોધ કષાયને વશ થયેલે જીવાત્મા કયું કર્મ બાંધે? શું કરે? શેને ચય