________________
ગીતાબેન ] તેણે પિતાને પૂછ્યું, “ હે તાત! તમે મને મને દા” [ ર૩૯ આત્માને નિયમનમાં લાવી શકતી નથી, પરંતુ પુરુષ (વૃક્ષાંક ૨) નિયતિના રજોગુણ વડે ઉત્પન્ન થનાર કામરૂપી પાપના મેહમાં ફસાઈ પોતાના સ્વતંત્ર અને સત્યસ્વરૂપને અનુભવ ન લે અને દુ:ખ ભોગવ્યા કરે તે તે એક મોટું આશ્ચર્ય જ ગણાય! આથી સદસતને વિવેક કરી હું આત્મરૂપ છું; મારામાં મન, બુદ્ધિ ઈદ્રિયો તથા તેમના વિષયો ઇત્યાદિ કશાનો અંશપણ નથી, એવા પ્રકારના દઢ નિશ્ચય અને અભ્યાસ વડે તે સવને નિયમનમાં લાવી જ્ઞાન અને વિજ્ઞાનને નાશ કરનારા આ પાપી કામને તું પણ તેને હણવામાં નિયતિ કિવા પ્રારબ્ધ નિરુપયોગી છે. તેને માટે આ રીતને વિવેકયુકત અભ્યાસ કરવારૂપ પુરુષાર્થ જ કરવો પડશે, એમ શ્રીકૃષ્ણ ભગવાનને કહેવાને ઉદ્દેશ આમાં સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે,
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । मनमातु परा पुद्धियो बुद्धः परतस्तु सः ॥ ४२ ॥ एवं बुद्धेः परंतुवा सशस्तभ्यात्मानमात्मना ।
जहि शत्रु महाबाहो कामरूपं दुरासदम् ॥ ४३ ॥ ધૂળ ઈદ્રિયોથી સમ ઈદ્રિયો પર છે તેથી પર મન છે કે જે નિત્ય ઈદ્રિયોઠારા વિષયોને જ ગ્રહણ કરે છે, મનથી પર બુદ્ધિ છે અને બુદ્ધિથી પર તદ્દન અસંગ એવો આત્મા છે, એમ તું સમજ; એટલે આત્મા તે જેમાં રજૂળ કિવા સક્ષ્મ ઈદ્રિયો, તેમના વિશે તેમ જ મન તથા બુદ્ધિ ઇત્યાદિને સમાવેશ થાય, એવી જ આ પ્રકૃતિ કહેવાય છે તેથી પર છે અર્થાત જયાં આ સર્વને લેશમાત્ર પણ અંશ નથી તેવો તે તદ્દન અસંગ છે; માટે સર્વ કરતાં પર એવા આ આત્માને જાણું લઈ આત્મામાં જ સ્થિતિ કર, એટલે હું આત્મા જ છું; મારામાં પ્રકૃતિ, તેના ગુણો, દિયે તેના વિષયે, મન, બુદ્ધિ ઇત્યાદિ કશાનો લેશમાત્ર પણ અંશ નથી અને હેય તે તે પણ આત્મરૂપ જ છે, એ પ્રમાણે આત્મા વડે આત્માને જાણી લઈ તેમાં જ સ્થિર થા અર્થાત આત્મા સિવાય બીજું બધું દેખવાનું તદ્દન છોડી દે અને હે મહાબાહ! આ રીતે દુરાસંદ એટલે મહા પ્રયત્ન વડે પણ જીતવામાં અત્યંત કઠણ એવા આ કામરૂ૫ શત્રુનો તું નાશ કર. આ કામરૂપ સમર્થ શત્રને જીતવાને માટે આ સિવાય બીજો એક પણ ઉપાય નથી. જ્યારે તું પિતા સહિત આ બધું દશ્યજાળ આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એ રીતના પક્ષજ્ઞાન વડે તેને જાણી લઈ તેવા દૃઢ નિશ્ચયથી તેને સાક્ષાત્કાર એટલે અપક્ષ અનુભવ કરીશ ત્યારે જ આ કામરૂપ શત્રુને સદંતર નાશ થયેલ છે એમ સારી રીતે અનુભવીશ; માટે આ ઉપાય વડે અતિશય કઠણ એવા કામરૂપ શત્રને તું નાશ કરી દે.
અધ્યાય ૪
भीभगवानुवाचबम विषस्यते योग मोक्तधाममध्ययम् । विवस्वाम्मनवे प्राह मनुरिश्शाकोऽब्रवीत् ॥ १ ॥ एवं परम्पराप्राप्तमिमं राजयो विदुः । स कालनेह महता योगो नः परन्तप ॥ २ ॥