________________
तत्त्वार्थाधिगमसूत्रम्
तदभावेऽभावात्, अतो न कश्चिद् विरोध इति । सम्प्रति निगमयतियदेवमुपजातमेतन्निसर्गसम्यग्दर्शनमिति । जीवस्य उपयोगस्वाभाव्यात् तदधिगमात् प्राप्यते ।
८८
[ o
कोऽधिगम इति चेत्, तद् उच्यते-अधिगमोऽभिगम इत्यादि । भा० अधिगम: अभिगम आगमो निमित्तं श्रवणं शिक्षा उपदेश इत्यनर्थान्तरम् । तदेवं परोपदेशाद् यत् तत्त्वार्थश्रद्धानं भवति तदधिगमसम्यग्दर्शनमिति ।
गमेर्गत्यर्थत्वाज्ज्ञानार्थता, गमो ज्ञानं रुचिरिति, अधिको गमोऽधिकं ज्ञानम् । कथं वाधिक्यम् ? यस्मात् परतो निमित्ताद् भवति तद्, तदाधिक्यादधिकमुच्यते । अभिगमस्तु અહીં તેનું સાક્ષાત્ ગ્રહણ કરેલું નથી... અથવા તો સમ્યગ્દર્શનને પામતો જીવ અવશ્ય રૂપે તે ‘અનિવર્તિકરણ’ ને પહેલાં મેળવે જ છે, આથી સામર્થ્યથી-અર્થાપત્તિથી ‘અનિવર્તિકરણ’ નો સ્વીકાર કરેલો જ છે.. કેમ કે, ‘અનિવર્તિકરણ' ને પ્રાપ્ત ન કરે, તો સમ્યગ્દર્શનની પણ પ્રાપ્તિ થતી નથી. આથી ‘અનિવર્તિકરણ’ નો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો ન હોવામાં પણ કોઈ વિરોધ (દોષ) આવતો નથી...
હવે પૂર્વોક્ત સર્વ વસ્તુનું - પ્રક્રિયાનું નિગમન કરતાં, નિષ્કર્ષ જણાવતાં ભાષ્યકાર કહે છે. તત્ નિસર્ન-સમ્ય વર્શનમ્ । “જે આ રીતે (ગુરૂપદેશ વિના) સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું હોય, તે નિસર્ગ-સમ્યગ્દર્શન કહેવાય^ છે.”
આમ નિસર્ગ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિની પ્રક્રિયાનું વિસ્તારથી કથન કરીને હવે (તેવી જ પ્રક્રિયાવાળા) બીજા અધિગમ-સમ્યગ્દર્શનને જણાવતાં કહે છે - જીવ જ્ઞાન-દર્શન રૂપ બે પ્રકારના ઉપયોગ-સ્વભાવવાળો હોવાથી ‘અધિગમ' થી (અભ્યાસથી) પણ તે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ઃ આ ‘અધિગમ' શું છે ? (આનો જવાબ ભાષ્યમાં આપતાં કહે છે)
જવાબ :
ભાષ્ય : (૧) અધિગમ (૨) અભિગમ (૩) આગમ (૪) નિમિત્ત (૫) શ્રવણ (૬) શિક્ષા (૭) ઉપદેશ આ (સાત) અનર્થાન્તર = સમાનાર્થી (પર્યાય) શબ્દો છે.
=
આ પ્રમાણે પરોપદેશથી (પર નિમિત્તથી) જે (જીવાદિ) તત્ત્વ રૂપ અર્થો ઉપર શ્રદ્ધા (રુચિ) થાય તે અધિગમ-સમ્યગ્દર્શન કહેવાય છે.
પ્રેમપ્રભા : (ભાષ્યમાં ‘અધિગમ' શબ્દના અર્થને જણાવવા તેના અનેક પર્યાયવાચી શબ્દો કહેલાં છે, અધિગમ, અભિગમ વગેરે... હવે ટીકામાં તેના અર્થની વ્યાખ્યા કરે છે.) (૧) અધિગમ : ગમ્ ધાતુ ગતિ = ગમન કરવું (જવું) અર્થવાળો છે. આથી ત્યાં
૧. પૂ. | ના. મુ. |