________________
४१९
સૂ૦ રૂ૪]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् निरस्तसामान्यान्तरसम्बन्धस्य श्रूयमाणरूपानुगुणमेव ग्रहणं न स्यात्, किन्तु सर्वव्यपदेशविशेषाभिव्यङ्ग्यो भाव एव तेन तेन रूपेणाभिव्यज्यते, ततो घटाद्यन्यतरभेदश्रुतौ सर्वरूपभेदभावप्रतीति-प्रसङ्गस्ततश्च घटपटोदकादिरूपव्यतिरकरभावानिश्चयाभावप्रसङ्गः, उपदेशक्रियोपપણ બીજાઓ એકાંતે/એક જ નયથી વસ્તુની વિચારણા કરતાં હોવાથી વસ્તુનો યથાવસ્થિત બોધ નહીં કરવાથી તેઓનો બોધ મિથ્થારૂપે ગણના પામે છે. આ પ્રમાણે અન્ય નયોમાંથી નીકળતા/ઉદ્ભવતાં મતો(વાદો)ની બાબતમાં પણ સમજવું.
સારાંશ એ કે સર્વપ્રકારના દર્શનોનો/મતોનો/વાદોનો ઉદ્ભવ જૈન-દર્શનમાંથી થયો છે. એ શાસ્ત્રોક્તિ વડે પણ પૂર્વોક્ત વિધાનો યથાર્થ ઠરે છે. જેટલાં પણ જૈનદર્શનમાં નયવાદો છે તેટલાં દુનિયામાં મતો છે એવું શાસ્ત્રવચન પણ ઉપરની વાતને પુષ્ટિ આપે છે. કહ્યું છે કે, નાવડ્રથા वयणपहा तावइया चेव हुंति नयवाया । जावईया नयवाया तावइया चेव परसमया ॥१॥ સિંમતિતર્ક પ્રકરણ૦ ગા૦ ૫/૪૭] અર્થઃ જેટલાં જેટલાં વચન-પથો = મતવિશેષ છે તેટલાં તેટલાં નયવાદો = નયો છે અને જેટલાં જેટલાં (એકાંતતાવાળા) નયવાદો છે તેટલાં જ પરસમય = પર મતો = અન્ય દર્શનો છે. ફરક એટલો જ કે જૈનશાસનમાં નયવાદોનો એકાંતે સ્વીકાર કરેલો ન હોવાથી તે તે નય પણ સમ્યફસાચાં રૂપે સ્વીકારાય છે.
વ્યવહારનયનો શબ્દાર્થ અને વક્તવ્ય રક પ્રેમપ્રભા : (૩) વ્યવહાર-નય : વ્યવહાર-નયનો શબ્દાર્થ-વ્યુત્પત્તિ જણાવતાં ટીકામાં કહે છે – (સંગ્રહ નય વડે) સંગ્રહ કરાયેલા પદાર્થોનું વિધિપૂર્વક ભેદપૂર્વક કથન કરવું તે
વ્યવહાર ન કહેવાય. આ શબ્દાર્થ થયો. હવે ભાવાર્થ કહે છે અર્થાત્ અહીં વ્યવહારનય કેવી યુક્તિના પીઠબળથી ખડો થયો છે તે સમજાવતાં ટીકાકાર કહે છે - જ્યારે ‘પદોતિ' = “ઘડો છે' એ પ્રમાણે બોલાય, ત્યારે ઘડા વગેરે ભેદોનું = વિશેષોનું શ્રવણ થવાથી ઘટાદિ વસ્તુના પોતાના ઘટવાદિરૂપ સામાન્ય સાથે અનુબદ્ધ = સંબદ્ધ હોય એવા અને પોતાનાથી અન્ય એવા પટવ વગેરે રૂપ સામાન્ય સાથેના સંબંધનો જેમાં નિષેધ,વ્યવચ્છેદ થયો છે એવા ઘટ વગેરે પદાર્થનો શ્રયમાણ = શ્રવણનો વિષય બનેલ સ્વરૂપને અનુકૂળ રીતે પ્રાપ થવું જોઈએ. તેમ છતાં જો તે રીતે જ ગ્રહણ અર્થાત્ બોધ ન થાય, અર્થાતુ ‘ટોતિ' “ઘડો છે' એવા વાક્યના શ્રવણ દ્વારા ઘટવરૂપ સામાન્યથી યુક્ત એવા ઘડાનો જ બોધ થતો ન હોય, કિંતુ સર્વ પ્રકારના વ્યપદેશ = એટલે કે વ્યવહાર કથન દ્વારા સામાન્યથી અભિવ્યક્ત થતો એવો “ભાવ” જ અર્થાત્ આ “સત્ છે, ૨. ૩. પૂ. I wત્વાનુ, મુ. |