________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
५१७
श्रुतस्यैवागमानुरक्तस्य उपग्राहकत्वाद् उपकारकत्वात्, यतो मत्याद्यालोचितोऽर्थः न मत्यादिभिः शक्यः प्रतिपादयितुं मूकत्वान्मत्यादिज्ञानानाम्, अतस्तैरालोचितोऽप्यर्थः पुनरपि श्रुतज्ञानेनैवान्यस्मै स्वपरप्रत्यायकेन प्रतिपाद्यते, तस्मात् तदेवालम्बितुं युक्तं, नेतराणि । केवलज्ञानं तु यद्यपि मूकं तथाप्यशेषार्थपरिच्छेदात् प्रधानमितिकृत्वाऽवलम्बत एव तथा विपर्ययं नाभ्युपैति अस्मात् चेतनाज्ञस्वाभाव्याच्चेत्यादि, चेतना जीवत्वं परिच्छेदकत्वसामान्यं गृह्यते, ज्ञ इत्यनेन तु विशेषपरिच्छेदिता ग्राह्या तयोश्चेतनाज्ञयोः स्वाभाव्यं तथाभवनं तस्माच्चेतनाज्ञस्वाभाव्यात् सर्वजीवानां पृथिवीकायिकादीनां न विद्यते तेषां कश्चित् प्राणी
જવાબ : જુઓ, મતિ, અવધિ અને મન:પર્યાય એ ત્રણ જ્ઞાનોને આગમને અનુસરનારું એવું શ્રુતજ્ઞાન જ ઉપકારક છે. આથી શબ્દનય એ મતિ આદિ ત્રણ જ્ઞાનનો આશ્રય કરતો નથી. (અર્થાત્ જે ઉપકાર્ય છે તે અપ્રધાન, ગૌણ છે અને ઉપકારક છે તે શ્રેષ્ઠ-પ્રધાન છે. પ્રધાનને જ સ્વીકારતો હોવાથી આ નય મતિઆદિ જ્ઞાનોને સ્વીકારતો નથી.) કારણ કે, મતિ આદિ ત્રણ જ્ઞાનો વડે આલોચિત અર્થાત્ વિચારેલ - જાણેલ અર્થનું મતિ આદિ ૩ જ્ઞાનો વડે પ્રતિપાદન કરવું - કહેવું - પ્રગટ કરવું શક્ય નથી. કેમ કે, તે ત્રણેય જ્ઞાનો મૂક છે, મૂંગા છે. આથી મતિ આદિ ત્રણ જ્ઞાનો વડે જાણેલો પણ અર્થ ફરીથી બીજા વ્યક્તિ સમક્ષ સ્વ અને ૫૨ - ઉભયના બોધક (પ્રત્યાયક) એવા શ્રુતજ્ઞાન વડે જ કહેવાય છે. (અર્થાત્ બીજા મિત વગેરે જ્ઞાનો એ ફક્ત જાણનાર વ્યક્તિને જ અર્થનો બોધ કરાવી શકે છે, જ્યારે શ્રુતજ્ઞાન તો પોતાને અને બીજાને પણ અર્થનો બોધ કરાવવા સમર્થ છે.) આમ શ્રુતજ્ઞાન બીજા જ્ઞાનોને ઉપકારક છે. આથી શ્રુતજ્ઞાનનું જ આલંબન (સ્વીકાર) કરવું ઉચિત છે, પણ બીજા ત્રણ જ્ઞાનોનું નહીં.
તથા કેવળજ્ઞાન એ જો કે ભૂંગુ છે - પોતે જાણેલ અર્થનું સ્વયં પ્રકાશિત કરવાને અક્ષમ છે, તો પણ અશેષ સર્વ સંપૂર્ણ અર્થોનો/વિષયોનો બોધ કરનારું હોવાથી પ્રધાન છે. આથી શબ્દનય આનો સ્વીકાર/અવલંબન કરે જ છે.
=
* શબ્દનય મતિઅજ્ઞાનાદિ નહિ સ્વીકારવાનું કારણ : બધા જ જ્ઞાની છે
(પ્રશ્ન : ભલે, પણ મતિઅજ્ઞાન આદિ ત્રણ વિપરીત જ્ઞાનોનો શાથી સ્વીકાર કરાતો નથી ? જવાબ :)
શબ્દનય એ વિપર્યય = અર્થાત્ મતિઅજ્ઞાન આદિ ૩ વિપરીત જ્ઞાનોનો પણ સ્વીકાર
†. પૂ. ધ સ્ક્વત॰ મુ. |
1