Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Ratnavallabhvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 575
________________ ૫૬ ૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર સૂ.૩૫, પૃ.૪૮૩, ૫.૯ શ્રુતજ્ઞાની આત્મા મનુષ્ય વગેરે પદાર્થને અનુમાનસ્વભાવવાળા આગમથી (શબ્દપ્રમાણથી) જાણે છે, એમ સિદ્ધસેનીયા ટીકામાં કહેલું છે, જે ધ્યાન ખેંચે એવું છે. કારણકે આગમને પણ અનુમાન-સ્વભાવવાળું જણાવેલું છે. આ વિષયની પુષ્ટિ કરતું વિધાન યોગબિંદુ ગ્રંથમાં ગ્લો. ૩૦૭ ની ટીકામાં જોવા મળે છે. તેમાં (કાલાતીતના મતે) ઇશ્વર, કર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થના વિશેષનું-ભેદનું અનુમાન કરવાનો નિષેધ કરેલો છે. ત્યારબાદ ટીકામાં પ્રશ્ન ઉઠાવેલો છે કે, પ્રશ્ન : અનુમાનથી ઈશ્વરાદિના વિશેષનું નિરૂપણ ન કરાય, તો પણ શાસ્ત્રથી = આગમથી તો તેનો નિશ્ચય થઈ શકશે ને ? જવાબ : ના, શાસ્ત્ર પણ આપ્ત-વચન રૂપ છે. આથી તેના વડે કહેવાનો અર્થ બીજી રીતે ઘટતો ન હોવાથી વસ્તુતઃ જોઇએ તો આગમ પણ અનુમાન સ્વરૂપ છે. અર્થાત્ અનુમાનમાં દેખાતી ધૂમ વગેરે વસ્તુવડે નહિ દેખાતા વહ્નિ વગેરે અર્થની સિદ્ધિ-નિશ્ચય થાય છે. જો પર્વત પાછળ અગ્નિ ન હોય તો ત્યાંથી નીકળતો, પ્રત્યક્ષ દેખાતો એવો ધૂમાડો ઘટી શકે નહિ. કારણકે અગ્નિ વિના ધૂમ હોઈ શકે નહીં. માટે અગ્નિ માનવો જ જોઇએ. આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ દેવ, કર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થોનું પ્રતિપાદન કરનારા આગમો એ આપ્તવચન સ્વરૂપ છે. જેઓનું વિધાન અવિસંવાદી હોય તે આત કહેવાય. હવે જો દેવ, કર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થોને ન સ્વીકારીએ તો તેનું વિધાન કરનારા દશ્યમાન આગમ રૂપ આપ્તવચનો ઘટે નહીં. અર્થાત દેવ, કર્મ વગેરે આગમપ્રતિપાદિત પદાર્થોનો નિશ્ચય સ્વીકારીએ તો જ તે શાસ્ત્રો આપ્તવચન રૂપે ટકી શકે છે, બીજી રીતે નહીં. આમ આગમ/શાસ્ત્રો અર્થાત્ આપ્તવચન રૂપ શબ્દ પણ અન્યથા અનુપપન્ન હોવાથી તેનાથી પ્રતિપાદિત અર્થોની સિદ્ધિ થવાથી જ ઘટતાં હોવાથી તત્ત્વતઃ અનુમાનસ્વરૂપ છે. અનુમાન-પ્રયોગ આ પ્રમાણે થાય - દેવય: પાથ: સત્તિ, आप्तवचनाभिधेयत्वात् । યોગબિંદુ શ્લોક ૩૦૭ની ટીકામાં પૂર્વોક્ત હકીકતને જણાવતાં અંતિમ વચનો આ પ્રમાણે છે - ૧ ૨ વર્લ્સ - શાસ્ત્રાન્તર્દિ નિશ્ચયો ભવિષ્યતિ, તીવ્યાતવરત્વેન अभिधीयमानार्थाऽन्यथाऽनुपपन्नतया तत्त्वतोऽनुमानत्वात् ॥ ३०७ ॥ સૂ.૩૫, પૃ.૪૮૪, પૃ.૧૪ “સંધ્યાતીૉપ' એવા આગમનો સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છે - संखाईएऽवि भवे साहइ जं वा परो उ पुच्छिज्जा । ण य णं अणाइसेसी वियाणई एस छउमत्थो ॥ ५९० ॥ ગાથાર્થ : (ગણધર ભગવંત કેવી રીતે ધર્મ કહે છે ? એના સમાધાનમાં કહે

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604