Book Title: Tattvarthadhigam Sutra Part 02
Author(s): Ratnavallabhvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 567
________________ ૫૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અવધિજ્ઞાન સમજવું. તથા ઊર્ધ્વ ક્ષેત્રમાં તો પોત-પોતાના કલ્પના-વિમાનના સ્તૂપ-ધ્વજાદિ સુધી જ જોઈ શકે છે. એમ જાણવું. આ ઉપરાંત અન્ય ભવનપતિ દેવો વગેરેનું અવધિજ્ઞાન ક્ષેત્રની અપેક્ષાએ જુદા જુદા આકારનું હોય છે. પણ પ્રસ્તુતમાં ઉપયોગી ન હોવાથી તે વિશેષાવશ્યક વગેરે ગ્રંથોથી જાણવું. સૂ.૧૧, પૃ.૨૩૮, ૫.૨૨ અહીં મારે પરોક્ષદ્ સૂત્રમાં સાદ્ય માદ્ય એમ વિગ્રહ કરીને સાથે એવું રૂપ કહેલું છે પણ “મા ” એવો દ્વ-સમાસ ન થાય. કારણકે અહીં એકશેષ' રૂપ સમાસ થાય છે. જે શબ્દોની સ્વાદિ-વિભક્તિના રૂપો સમાન થતા હોય તે શબ્દોનો ઉક્ત રીતે દ્વન્દ કરવાના પ્રસંગે દ્વ-સમાસનો અપવાદ કરીને વિવિસંધ્યેય રૂ-૨-૨૨૧ સૂત્રથી એકશેષ સમાસ થયેલો છે. જેમાં બે કે તેથી વધુ સમાન રૂપવાળા શબ્દોની સોક્તિ = સાથે કથન કરવાની વિવેક્ષા હોય ત્યારે એક શબ્દ જ શેષ રહે અને બાકીના શબ્દો નિવૃત્ત થાય તે “એકશેષ સમાસ કહેવાય, એમ કહેવાનો ભાવ છે. સૂ.૧૫, પૃ.૨૮૨, ૫.૧૧ “અપાય' રૂપ મતિજ્ઞાનના ત્રીજા પ્રકારના પર્યાયો ભાષ્યમાં કહ્યાં છે. તેમાં પ્રથમ ચાર પર્યાયોની વ્યુત્પત્તિ “કર્તા” અર્થમાં કરી છે અને એ જ ચાર શબ્દોને (ધાતુને) ભાવાર્થક - તે (#) પ્રત્યય લગાડીને અંત્ય ચાર શબ્દની વ્યુત્પત્તિ કરેલી છે. તેમાં જે “સપનુત્ય' એવો પાઠ છે, તે વિચારણીય છે, દા. ત. મપાય માં મા + રૂ ધાતુ છે તેને ભાવમાં તે પ્રત્યય લગાડીને અતિ શબ્દનું રૂપ કરેલું છે. એ ન્યાયે સપનો શબ્દમાં સપનુ ધાતુને ત પ્રત્યય લગાડીને ‘સપનુત્ત' પ્રયોગ થવો જોઇએ. પરંતુ સપનુત્ય પ્રયોગ છે, જે ખાસ પ્રસિદ્ધ નથી. છતાં તેવો પાઠ મળતો ન હોવા છતાં સિદ્ધસેનીયાદિ ત્રણેય ટીકામાં તે ચાર શબ્દોને ભાવનું અભિધાન કરનારા કહેલાં હોવાથી તેમજ યશોવિજયીયા ટીકાગત ભાષ્યમાં સાક્ષાત્ “સપનુત્ત' પ્રયોગ મૂકેલો હોવાથી અમે પણ તેવા પ્રયોગનો આશ્રય કરેલો છે એમ જાણવું. સૂ.૧૫, પૃ.૨૮૪, ૫.૯ ગતિ વગેરે ચાર પર્યાય શબ્દો વડે “ભાવ” (ક્રિયામાત્ર)નું અભિધાન-કથન થાય છે એમ ટીકામાં કહેલું છે. અને તેના દ્વારા ફલસ્વરૂપ જ્ઞાનનો પરિચ્છેદ (બોધ કરવાનો) સ્વભાવ છે તે કહેવાય છે એમ પણ કહ્યું. ત્યારબાદ ગd, અપતિ એમ કહીને પરિછિન્નતિન્મયા = મારાવડે આ જણાયુ, નિશ્ચય કરાયું. આમાં પતિત્ શબ્દનો પ્રયોગ કરવાથી આ કર્મનું અભિધાન કરનારો પ્રયોગ બને છે, તે ફક્ત ભાવાર્થને જણાવે છે. કારણકે ભાવનું અભિધાન કરનારા શબ્દના યોગમાં કર્મનો પ્રયોગ ન થઇ શકે. આથી જ પછી ફલિતાર્થમાં કહ્યું છે કે વમેતન્નાથા રૂત્યર્થ. “આ અમુક

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604