________________
सू० ३५ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
४६९
સમસ્તિ ? નૈવમ્, તત્ર સમાધ્યુપામાન્ ‘અવિવાર દ્વિતીયમ્' (સૂ॰ ૧-૪૪) કૃતિ वचनात् एकत्ववितर्कपरिग्रह इति ।
एवम्भूताभिप्रायमाविष्करोति
भा० तेषामेव व्यञ्जनार्थयोरन्योन्यापेक्षार्थग्राहित्वमेवम्भूत इति ।
टी० तेषामेवेत्यादि । तेषामेवानन्तरनयपरिगृहीतघटानां यौ व्यञ्जनार्थौ तयोरन्योन्या
એટલે કે વિતર્ક સહિતનું ધ્યાન કહેવાય. વિતઃ શ્રુતમ્ (સૂ. ૯/૪૬) વિતર્ક એટલે શ્રુત એમ આગળ ૯માં અધ્યાયમાં કહેવાશે. જે વિતર્ક-પ્રધાન ધ્યાન હોય અર્થાત્ શ્રુતાનુસારી હોય તે વિતર્ક-ધ્યાન કહેવાય. [‘મયૂરભંસકાદિ' નામના વ્યાકરણ-શાસ્રોક્ત ગણપાઠથી અહીં મધ્યમ પદ (પ્રધાન)નો લોપ થયો છે. સિ.હે. સૂ. (૩-૧-૧૧૬)] આવા વિતર્ક (શ્રુત) પ્રધાન ધ્યાનની જેમ અહીં અધ્યવસાયનો (અર્થાત્ શબ્દનો) અસંક્રમ હોય છે.
શંકા : પૃથ-વિતર્ક નામના શુક્લધ્યાનના પ્રથમ ભેદમાં પણ વિતર્કની પ્રધાનતા છે. તો તે પ્રથમ ભેદની જેમ પણ આ નયને કહેવો જોઈએ ને ?
સમાધાન ઃ એવું નથી. શુક્લ-ધ્યાનના પ્રથમભેદમાં સંક્રમનો સ્વીકાર કરેલો છે. જ્યારે એકત્વ-વિતર્ક નામના બીજા શુકલધ્યાનમાં અવિવાર દ્વિતીયમ્ ॥ ૧-૪૫ ॥ એવા (પ્રસ્તુત શાસ્ત્રના નવમા અધ્યાયના) સૂત્રમાં વિચારનો નિષેધ કરેલો છે. વિચાર એટલે અર્થ અને વ્યંજન (શબ્દ) અને યોગોને વિષે એકમાંથી બીજામાં જવા રૂપ સંક્રમણ/સંક્રાંતિ-બીજું શુક્લધ્યાન આવા વિચારથી રહિત હોવાથી આવું સંક્રમણ તેમાં નથી. આથી એકત્વવિતર્કરૂપ બીજા શુક્લધ્યાનનું ગ્રહણ કરીને તેની જ ઉપમા અહીં આપી છે, તે યથાર્થ છે. હવે ઘટ: શબ્દનો ઉચ્ચાર થતાં કેવો બોધ થાય છે એ વિષે ‘એવંભૂત' (શબ્દનયનો ત્રીજો ભેદ) નયનો અભિપ્રાય પ્રગટ કરતાં ભાષ્યકાર કહે છે
ભાષ્ય : તે જ ઘટ વગેરેના વાચક શબ્દ અને અર્થ વચ્ચે પરસ્પર સાપેક્ષ રીતે અર્થનું ગ્રહણ કરવાપણું તે એવંભૂત-નય છે.
* એવંભૂત નયનો ઘટ-પદાર્થ અંગે અભિપ્રાય
પ્રેમપ્રભા : ઘટ શબ્દનો ઉલ્લેખ કરાતાં કેવો બોધ થાય છે એ અંગે એવંભૂત-નયનો