________________
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
नैगमशब्दार्थाना - मेकानेकार्थनयगमापेक्षः ।
देशसमग्रग्राही, व्यवहारी नैगमो ज्ञेयः ॥ १ ॥ आर्या
टी० आह चेत्यादि । आह चेत्यात्मानमेव पर्यायान्तरवर्तिनं निर्दिशति, निगमो जनपदस्तत्र भवाः नैगमाः शब्दास्तेषाम् अर्थाः अभिधेयाः अतस्तेषां नैगमशब्दार्थानामेकोविशेष: अनेकं सामान्यं, अनेकव्यक्त्याश्रितत्वात् तावेव चार्थी एकानेकार्थों तयोरेकानेकार्थयोर्नयः प्रकटनं प्रकाशनं एकानेकार्थनयः स एव गमः प्रकारः एकानेकार्थनयगमस्तमपेक्षते - अभ्युपैति यः स एकानेकार्थनयगमापेक्षः । पूर्ववाचोयुक्त्या पुनरप्यमुमेवार्थमनुस्मरयन्नाह - देशेत्यादि । देशो विशेषः समग्रं सामान्यं तयोर्ग्राही आश्रयिता, શબ્દોના અર્થોના એક = વિશેષ અને અનેક સામાન્ય રૂપ પ્રકાર (ગમ)ની અપેક્ષાવાળો, (અર્થાત્) (૧) દેશગ્રાહી અને (૨) સમગ્રગ્રાહી અને (સામાન્ય અને વિશેષ વડે) વ્યવહાર કરનારો વ્યવહારી એવો નૈગમ નય છે. (આર્યા-૧)
सू० ३५ ]
–
४८७
* આ-િશ્લોક વડે નૈગમનું લક્ષણ *
પ્રેમપ્રભા : ભાષ્યમાં આહ = = ‘કહ્યું છે કે', એવા પદો વડે ભાષ્યકાર પોતાને જ બીજા પર્યાયમાં (અવસ્થામાં) વર્તનારા તરીકે નિર્દેશ કરે છે. અર્થાત્ હમણા નયવાદને વિસ્તારથી ગદ્ય-બંધ વડે જણાવનારા ભાષ્યકાર હતાં તે બદલાઈને હવે સંક્ષેપથી કારિકારૂપે પઘ-બંધ વડે નયવાદનું પ્રતિપાદન કરનારા હોયને ‘આહ ચ' એવા પદો વડે જુદાં તરીકે દર્શાવે છે. (આમ આ આર્યા છંદોના રચયિતા પણ સ્વોપન્ન ભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિજી પોતે જ છે. પણ પૂર્વે કહ્યું તેમ જુદા અભિપ્રાયવાળા હોવાથી પોતાને અલગ તરીકે દર્શાવેલાં છે એમ જાણવું.) હવે આર્યાનો અર્થ જોઈએ (૧) નિગમ એટલે જનપદ/રાષ્ટ્ર. તેમાં થનાર હોય તે નૈગમ કહેવાય. નૈગમ એવા જે શબ્દો, તેના અર્થો એટલે અભિધેયો. તેઓનો જે એક એટલે વિશેષ અને અનેક એટલે સામાન્ય. ‘સામાન્ય' એ (એક હોવા છતાંય) અનેક વ્યક્તિમાં આશ્રિત (રહેનારું) હોવાથી ‘અનેક’ કહેવાય. આમ આવા એકઅનેક (વિશેષ અને સામાન્ય) રૂપ જે અર્થો છે તેનો ‘નય’ એટલે પ્રગટ કરવારૂપ, પ્રકાશવારૂપ, બોધ કરવારૂપ જે પ્રકાર (ગમ), તેની અપેક્ષા રાખનારો, સ્વીકાર કરનારો હોય તે નૈગમનય કહેવાય છે. તથા પૂર્વે કહેલ વાણીની યુક્તિથી (વાચોયુક્તિ = વચનપદ્ધતિથી) ફરી આ જ અર્થનું સ્મરણ કરાવતાં કહે છે (૨) દેશ-સમગ્રગ્રાહી ૬. પાવિષ્ણુ । નરમુ॰ મુ. |