________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[અ૦ ૧
भा० अत्राह-इह अवधारितं - द्वे एव प्रमाणे प्रत्यक्षपरोक्षे इति । अनुमानोपमा'ऽऽगमार्थापत्तिसम्भवाभावान्यपि प्रमाणानि इति केचित् मन्यन्ते । तत् कथमेतदिति ?
२५४
अत्रोच्यते
एवं द्वे परोक्षप्रत्यक्षे प्रमाणे भवत इति ख्यापिते चोदयति- इह शास्त्रे निर्धारितमेतद् द्वे एव प्रमाणे, अन्यथा 'तत् प्रमाणे ' (१ - १०) इत्यत्र या द्वित्वसङ्ख्या सा व्यर्थैव स्यात्, यद्यवधारणतया नाश्रीयेत, तस्मादवश्यंतया तद्वचनं नियमकारि प्रतिपत्तव्यम्-द्वे एव प्रमाणे । के ? प्रत्यक्षपरोक्षे इति, ततश्चान्येषामप्रमाणता आपन्ना, न च न सन्त्येवान्यानि, यतोऽनुमानादीनि प्रमाणानि मन्यन्ते साङ्ख्याः प्रत्यक्षानुमानागमाख्यानि त्रीणि, नैयायिकाः प्रत्यक्षानुमानोपमाऽऽगमाख्यानि, प्रत्यक्षानुमानशाब्दोपमऽर्थापत्त्यभावा इति जैमिनीयाः ।
-
एतदाह
ભાષ્ય : પૂર્વપક્ષ : અહીં એ પ્રમાણે અવધારણ/નિશ્ચય કરેલો છે કે, બે જ પ્રમાણો છે -(૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. કેટલાંક (અન્ય દર્શનકારો) (i) અનુમાન, (ii) ઉપમાન, (iii) આગમ, (iv) અર્થાપત્તિ, (v) સંભવ, (vi) અભાવરૂપ પણ પ્રમાણો માને છે. તેથી આ (બે જ પ્રમાણો છે એ વાત) શી રીતે ઘટે ? આ વિષયમાં (જવાબ) કહેવાય છે.
પ્રેમપ્રભા : ભાષ્યમાં પૂર્વપક્ષ આ પ્રમાણે શંકા ઉઠાવે છે. શંકા : આ શાસ્ત્રમાં આ પ્રમાણે નિશ્ચય કરેલો છે કે ‘બે જ પ્રમાણો છે' જો આવો નિશ્ચિત (અવધારણ) રૂપે સ્વીકાર ન કરાય તો ‘તત્ પ્રમાણે' એવા સૂત્રમાં જે દ્વિત્વ (બેરૂપ) સંખ્યા છે, તે ફોગટ જ બની જાય. તેથી અવશ્યરૂપે, તે વચન નિયમ કરનારું છે કે ‘બે જ પ્રમાણો છે' એમ સ્વીકારવું જોઈએ. પ્રશ્ન ઃ કયા બે ? જવાબ : પ્રત્યક્ષ અને પરોક્ષ. આ વાત સ્થિર થવાથી અન્ય જે પ્રમાણો છે, તે અપ્રમાણ રૂપે જ ઠરશે. વળી ‘અન્ય પ્રમાણો જ નથી' એવું તમે કહી શકતાં નથી. કારણ કે કેટલાંક અનુમાન વગેરેને પણ પ્રમાણ માને છે. જેમ કે, સાંખ્યો પ્રત્યક્ષઅનુમાન-આગમ (શબ્દ) એ ત્રણ પ્રમાણો માને છે. નૈયાયિકો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ નામના ચાર પ્રમાણો સ્વીકારે છે. જ્યારે જૈમિનીય = જૈમિનિના અનુયાયીઓએ (મીમાંસકોએ) પ્રત્યક્ષાદિ પૂર્વોક્ત ચાર ઉપરાંત અર્થપત્તિ અને અભાવ સહિત છ પ્રમાણ છે એમ અંગીકાર કરેલો છે.
આ જ હકીકત જણાવતાં ભાષ્યમાં કહેલ છે કે, (૧) અનુમાન (૨) ઉપમાન ૬. ટીાનુ૦ / ૩૫માન૦ મુ. / ૨. પાલિઘુ । કે ૬૦ મુ. । રૂ. સર્વપ્રતિષુ । પમાનાર્થ૰ મુ. ।