________________
સૂ૦ ર૬] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३६९ भवति आ सर्वलोकादिति । मनःपर्यायज्ञानस्य तु नैतावत् क्षेत्रमस्ति, यतो मनःपर्यायज्ञानं मानुषेत्यादि, मानुषक्षेत्रे अर्धतृतीयेषु द्वीपसमुद्रेष्वित्यर्थः, नान्यत्रेति न वैमानिकेषु न शर्कराप्रभादिनरकेष्विति ।।
भा० स्वामिकतश्चानयोः प्रतिविशेषः । अवधिज्ञानं संयतस्य, असंयतस्य वा सर्वगतिषु भवति, मनःपर्यायज्ञानं तु मनुष्यसंयतस्यैव भवति, नान्यस्य । किञ्चान्यत् ।
टी० स्वामिकृत इत्यादि । अवधिज्ञानं संयतस्य साधोविरतस्येत्यर्थः । असंयतस्य अविरतस्य, वाशब्दात् संयतासंयतस्य वा, सर्वगतिषु नारकादिकासु चतसृष्वपि भवति', કારણે વધતાં જતાં તે અવધિજ્ઞાન વડે ઘણા, અત્યંત ઘણા દ્રવ્યોને દેખે છે, છેક સર્વલોકમાં = ૧૪ રાજલોકમાં રહેલાં દ્રવ્યોને જુએ છે. (અર્થાત્ જેમ જેમ શુભઅધ્યવસાયો વધતાં જાય તેમ અવધિજ્ઞાન પણ વધતું જાય અને વિશુદ્ધ બનતું જાય) આ જ હકીકત ભાષ્યમાં કહેલી છે કે, અવધિજ્ઞાન અંગુલના અસંખ્યાતમા ભાગ આદિમાં ઉત્પન્ન થઈને વધતું છતું સર્વલોક સુધી અર્થાત્ તેમાં રહેલ રૂપીદ્રવ્યોને જાણનારું બને છે.
જ્યારે મન:પર્યાય જ્ઞાનનું તો આટલું મોટું) ક્ષેત્ર હોતું નથી કારણ કે તે મનુષ્યક્ષેત્ર એટલે કે અઢી દ્વીપસમુદ્રોને વિષે જ (રહેલાં સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના ચિંતનમાં ઉપયોગી બનેલાં મનોદ્રવ્યને વિષે જ) થાય છે, પરંતુ વૈમાનિક દેવલોકને વિષે તેમજ શર્કરા પ્રભા વગેરે નરકોને વિષે અર્થાત્ તે ક્ષેત્રમાં રહેલાં પંચેન્દ્રિય જીવોના મનોગત દ્રવ્યોને વિષે મન:પર્યાયજ્ઞાન થતું નથી.
ભાષ્ય : આ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વચ્ચે તેના સ્વામીના કારણે પણ ભેદ પડે છે. અવધિજ્ઞાન એ સંયતને અથવા અસંયમ જીવને સર્વગતિઓમાં ઉત્પન્ન થાય છે. જ્યારે મન:પર્યાયજ્ઞાન તો મનુષ્યને અને તેમાં પણ સંયત સાધુને પ્રગટ થાય છે, બીજાને નહિ. વળી બીજું કે
- ૩. સવામી ભેદથી તફાવત એક * પ્રેમપ્રભા : સ્વામી એટલે તેના ધારક માલિકના નિમિત્તથી અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન વચ્ચે ભેદ પડે છે. આ અવધિજ્ઞાન સંયતને એટલે કે સાધુને = સર્વવિરતિધરને તથા અસંયત એટલે અવિરત-સમ્યગુષ્ટિ જીવન અને વા શબ્દથી સંયતાસંયતને અર્થાત દેશવિરતિધર શ્રાવકને સર્વગતિઓમાં = નારકાદિ ચારેય ગતિઓમાં હોય છે. ૨. સર્વપ્રતિપુ નાચક્ષેત્ર તિ, મુ. ૨. સર્વપ્રતિપુ વૈમાનિકેવુ ર૦ મુ. નાતા રૂ. .પૂ. પવેત્ મુ.