________________
३०३
સૂ૦ ૨૮].
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टैर्या च यावती च ज्ञानशक्तिराविरस्ति सैवंविधा ज्ञानशक्तिरवग्रहाख्या, तस्य स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टस्पर्शाद्याकारपरिणतपुद्गलराशेर्व्यञ्जना-ख्यस्य ग्राहिकाऽवग्रह इति भण्यते । तेन एतदुक्तं भवति-स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टाः स्पर्शाद्याकारपरिणताः पुद्गलाः व्यञ्जनं भण्यन्ते, विशिष्टार्थावग्रहकारित्वात्, तस्य व्यञ्जनस्य परिच्छेदकोऽव्यक्तोऽवग्रहो भण्यते, अपरोऽपि तस्मान्मनाक् निश्चिततरः किमप्येतदित्येवंविधंसामान्यपरिच्छेदोऽवग्रहो भण्यते, ततः परमीहादयः प्रवर्तन्ते, अतः सूक्तं व्यञ्जनस्यावग्रह एव अत्यन्तमलीमसपरिच्छेदक इति, नेहादयः, ईहापायधारणास्तस्य व्यञ्जनस्य ग्राहिका न भवन्ति, स्वांशे भेदमार्गणनिश्चयधारणाख्ये तासां नियतत्वात् । एवं उक्तेन प्रकारेण, सूत्रद्वयाभिहितेनेत्यर्थः ।
ઇન્દ્રિયનો સ્પર્શ આદિ આકારે (સ્વરૂપે) પરિણમેલ ( પરિણત થયલે) સ્પર્ધાદિ વિષયના પુગલો સાથે સંબંધ ઉત્પન્ન થયો હોય, છતાં પણ ત્યારે “આ કંઈક છે એ પ્રમાણે વિષયનું ગ્રહણ કરતો નથી. કિંતુ, સૂતેલાં અથવા પાગલ અથવા દારૂના નશામાં ગળાબૂડ ડૂબેલાં વગેરે પુરુષના જેવા સૂક્ષ્મ બોધવાળા પુરુષની જેમ અવ્યક્ત-અસ્પષ્ટ વિજ્ઞાનવાળો હોય છે. અને ત્યારે સ્પર્શન આદિ ઉપકરણ-ઇન્દ્રિયો સાથે સંબદ્ધ થયેલ તે મુદ્દગલો વડે જે અને જેટલી વિજ્ઞાનરૂપી શક્તિ પ્રગટ થાય છે, તે આવા પ્રકારની અવગ્રહરૂપી “જ્ઞાનશક્તિ કહેવાય છે. અને તે સ્પર્શન વગેરે ઉપકરણ-ઇન્દ્રિય સાથે સંશ્લિષ્ટ = સંબંધ થયેલ એવા સ્પર્શ આદિ રૂપે પરિણમેલ વ્યંજન નામની પુદ્ગલ-રાશિ, તેને ગ્રહણ કરનારી જ્ઞાન-શક્તિ અવગ્રહ એમ કહેવાય છે.
આના દ્વારા આવો અર્થ ફલિત થાય છે કે – સ્પર્શન આદિ ઉપકરણેન્દ્રિય સાથે સંબંદ્ધ થયેલ અને સ્પર્શ આદિરૂપે પરિણત થયેલાં પુગલો “વ્યંજન' કહેવાય છે, કારણ કે તે વિશિષ્ટ એવા અર્થાવગ્રહને ઉત્પન્ન કરનાર છે અને તે વ્યંજનનો પરિચ્છેદક = બોધ કરનાર અવ્યક્ત અવગ્રહ = વ્યંજનાવગ્રહ કહેવાય છે. (ત્યારબાદ) બીજો પણ અવગ્રહ છે જે તેનાથી પૂર્વ (વ્યંજનાવગ્રહ) કરતાં જરા વધુ નિશ્ચિત રૂપ “આ કંઈક છે' એવા પ્રકારે વસ્તુના સામાન્યનો બોધ કરનારો અવગ્રહ = અર્થાવગ્રહ કહેવાય છે. ત્યારપછી ઇહા' વગેરે મતિજ્ઞાનના ભેદો પ્રવર્તે છે. આથી ભાગ્યમાં સાચું = યથાર્થ જ કહેવું છે કે, વ્યંજનનો અવગ્રહ જ થાય છે. કેમ કે, તે અત્યંત મલીન બોધ કરનારો છે, પણ તેના “અહા' વગેરે ભેદો થતાં નથી. અર્થાત્ ઇહા, અપાય અને ધારણા રૂપ ભેદો તે વ્યંજનનું ગ્રહણ કરનારા નથી, કારણ કે, તેઓ પોતાનો જે અંશ = વિષય = વિભાગ છે, જેમ કે, ૨. સર્વપ્રતિપુ. વિજ્ઞ૦ મુ. | ૨. સર્વપ્રતિપુ ! યત્તે મુ. રૂ. ૩.પૂ. I ર્શનારા, મુ. | ૪. સર્વપ્રતિપુ વિધઃ સામુ.