________________
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३२३
त्रिदशादीनामर्हद्भिरित्यतोऽर्हद्भिः (सं० का० ७) । किमर्थं कृतकृत्या अर्हन्तो गणधरेभ्यः कथयन्त्यर्थमिति ? उच्यते - तत्स्वाभाव्यादिति । तेषामेष एव स्वभावस्तीर्थकृतां यतः उत्पन्नदिव्यज्ञानैर्गणधरादिभ्यः प्रकाशनीयः सोऽर्थ इति । न च स्वभावेऽस्ति पर्यनुयोगो, भास्करप्रकाशवत्, किमर्थमयमंशुमाली जगत् प्रकाशयतीति न कश्चित् प्रश्यति । अथवा अकृतार्थ एव तदा भगवान्, किमिति ? कर्मोदयभाक्त्वात् । कस्य कर्मण इति चेत् ? उच्यते-तीर्थकरनामाख्यस्य । तस्य द्वयं विशेषणमुपक्षिपति-परमशुभस्येत्यादि । परमं च
सू० २०]
કેવળજ્ઞાની રૂપી ઋષિઓ (અન્ય છદ્મસ્થ મુનિઓ કરતાં) પ્રધાનપણાને ધારણ કરે છે. અર્થાત્ બીજા મુનિઓ કરતાં પ્રધાન છે. જ્યારે તીર્થંકરો એ પ્રધાનતર છે અર્થાત્ સામાન્ય કેવળજ્ઞાની ઋષિઓ કરતાં અધિક પ્રધાન હોયને પરમ + ઋષિ = પરમર્ષિ કહેવાય છે. આ ચારેય વિશેષણોથી વિશિષ્ટ અરિહંત (અર્હદ્) છે. અર્હદ્ = દેવો વગેરે વડે પૂજાને અર્હ - યોગ્ય હોય તે અર્હત્ = અરિહંત કહેવાય. આવા અરિહંતો વડે કહેલાં વચનને ગણધરો ગૂંથે છે.
* પરમાત્માને દેશના આપવાનું પ્રયોજન
પ્રશ્ન : સ્વયં કૃતકૃત્ય થઈ ગયેલાં અરિહંતો ગણધરોને અર્થની દેશના શા માટે આપે છે ? અર્થાત્ તેઓના સર્વથા સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયેલાં હોવાથી અર્થ-કથનની પ્રવૃત્તિ પણ શા માટે કરે ?
જવાબ : તસ્વાભાવ્યથી = અરિહંતોનો તેવો સ્વભાવ હોવાથી. તે તીર્થંકરોનો આવો જ સ્વભાવ છે કે તેઓને દિવ્યજ્ઞાન = કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તેઓ વડે ગણધર આદિ ભવ્યાત્માઓ આગળ તે (કેવળજ્ઞાનથી જાણેલ) અર્થનું પ્રકાશન કરવું જોઈએ. અને જ્યારે આમાં સ્વભાવ જ કારણભૂત છે, માટે તેમાં પ્રશ્ન કે દલીલને અવકાશ નથી. ભાસ્કર = સૂર્યના પ્રકાશની જેમ. ‘આ સૂર્ય શા માટે જગત્ને પ્રકાશિત કરે છે ? એવો પ્રશ્ન કોઈ કરતું નથી. કેમ કે જગતને પ્રકાશિત કરવું તે એનો સ્વભાવ જ છે. (ઉપરોક્ત પ્રશ્નનું બીજી રીતે સમાધાન આપે છે.)
અથવા જવા દો. ત્યારે પણ ભગવાન્ અકૃતાર્થ જ છે. પ્રશ્ન ઃ શાથી અકૃતાર્થ છે. જવાબ : કારણ કે હજી પણ તેઓના (અઘાતી) કર્મનો ઉદય ચાલુ જ છે. પ્રશ્ન ઃ કયા (અઘાતી) કર્મનો ઉદય હોય છે ? જવાબ ઃ તીર્થંકરનામરૂપી કર્મનો ઉદય ચાલુ હોય છે
૧. પૂ. । તથવિશે॰ મુ. |