________________
२३२
तत्त्वार्थाधिगमसूत्रम्
[k o
विधानं भेदः, मूलं च तद्विधानं च मूलविधानं, तेन' मूलविधानेन - मूलविधानतः, पञ्चविधं मत्यादिज्ञेयपरिच्छेदि ज्ञानम् । एतदुक्तं भवति - मौलान् भेदानङ्गीकृत्य पञ्चविधमेव भवति । अथ किमन्ये एषां पञ्चानां प्रभेदाः सन्ति उत नेति ? । सन्तीत्युच्यते - प्रभेदास्त्वस्येत्यादि । प्रभेदाः अंशा अवयवाः अस्य पञ्चविधस्योपरिष्टाद् वक्ष्यन्ते, मूलभेदास्तु न, कथितत्वादिति । मतिज्ञानस्यावग्रहादयः श्रुतस्याङ्गानङ्गप्रविष्टादय:, अवधिज्ञानस्य भवप्रत्ययादयः, मन:पर्यायज्ञानस्य ऋजुमत्यादयः, केवलज्ञानस्य तु न सन्त्येव ॥९॥
अथ पुरस्तात् प्रमाणनयैरधिगम इत्युक्तं, तत्र न ज्ञायते किं प्रमाणमित्यत आहतत् प्रमाणे इति । अथवाऽन्यैरनेकधा प्रमाणमभ्युपेतं, तथा - कापिलैस्त्रिधा
થાય છે. કૃતિ શબ્દ ઇયત્તા/ચોક્કસતા જણાવે છે - આટલાં જ જ્ઞાન છે, આ સિવાય બીજા નથી. તત્... એટલે જે આ અવયવના (અંશોના/ભેદોના) વિભાગ વડે ઉપર કહ્યું, તે મૂળ એટલે કે પ્રાથમિક ભેદથી પાંચ પ્રકારનું જ્ઞેય વસ્તુનો બોધ કરનારું ‘જ્ઞાન' છે. મૂત્તવિધાનત: । મૂળ = પ્રથમ/આદ્ય અને વિધાન = ભેદ. મૂળ એવું વિધાન તે મૂળવિધાન, તેના વડે શેયવસ્તુનો બોધ કરનારું, મતિઆદિ પાંચ પ્રકારવાળું જ્ઞાન છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, મૂળ ભેદોને આશ્રયીને પાંચ પ્રકારનું જ જ્ઞાન છે.
શંકા : શું આ પાંચ જ્ઞાનોના બીજા પ્રભેદો = પેટાભેદો છે કે નથી ? સમાધાન : હા છે. આ પાંચ પ્રકારના જ્ઞાનના પ્રભેદો = પેટાભેદો/અંશો/અવયવો આગળ કહેવાશે, પણ મૂળ-ભેદો અહીં કહેવાઈ ગયા હોવાથી આગળ નહીં કહેવાય. દા.ત. (૧) મતિજ્ઞાનના અવગ્રહ આદિ ભેદો, (૨) શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટ વગેરે (૩) અવધિજ્ઞાનના ભવ-પ્રત્યય આદિ (૪) મનઃપર્યાયજ્ઞાનના ઋજુમતિ વગેરે ભેદો કહેવાશે અને (૫) કેવળજ્ઞાનના તો પેટા ભેદો જ નથી. (૧-૯).
અવતરણિકા : પ્રશ્ન : પૂર્વે પ્રમાણ અને નયો વડે જીવાદિ પદાર્થોનો વિસ્તારથી અધિગમ/બોધ થાય છે એમ કહેલું. તેમાં પ્રમાણ શું છે ? એ જણાતું નથી. આના જવાબમાં આગળનું સૂત્ર કહે છે.
* જુદાં જુદાં દર્શનોમાં સ્વીકારેલાં પ્રમાણોની સંખ્યા
અથવા (આગળના સૂત્રનું બીજી રીતે અવતરણ કરતાં ટીકાકાર કહે છે-) અન્ય
છુ. વ.પૂ.તા.-શો. | ના. મુ. 1 ર્. જી.પા.તા.-શો.લિ. । ના. મુ. । રૂ. સર્વપ્રતિવુ । ના. મુ. |