________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
ज्ञानमवधिज्ञानम्, यतो बहुत्वं च विषयस्योररीकृत्यैवं व्युत्पत्तिः, अन्यथा तिर्यगूर्ध्वं वा विषयं परिच्छिन्दानस्यावधिव्यपदेशो न स्यात् । अथवा अवधि:-मर्यादा, अमूर्तद्रव्यपरिहारेण 'मूर्तनिबन्धनत्वादेव तस्यावधिज्ञानत्वम् । तच्च चतसृष्वपि गतिषु जन्तूनां वर्तमानानामिन्द्रियनिरपेक्षं मनःप्रणिधानवीर्यकं प्रतिविशिष्टक्षयोपशमनिमित्तं पुद्गलपरिच्छेदि देवमनुष्यतिर्यङ्ङ्गारकस्वामिकमवधिज्ञानमिति । अवधिश्च स ज्ञानं च तदित्यवधिज्ञानम् ।
२३०
मनः पर्यायज्ञानमिति । मनो द्विविधं द्रव्यमनो भावमनश्च । तत्र द्रव्यमनो मनोवर्गणा, भावमनस्तु ता एव वर्गणा जीवेन गृहीताः सत्यो मन्यमानाश्चिन्त्यमाना भावमनोऽभिधीयते । છે નીચે નીચે જતાં વિસ્તૃત વિષયવાળું એવું અનુત્તરવાસી દેવ વગેરેનું જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય. કારણ કે આ જ્ઞાનનો વિષય ઘણો છે એમ માનીને આવી વ્યુત્પત્તિ કરેલી છે. અન્યથા, જો અધઃસ્થિત વસ્તુનો જ બોધ કરતું હોય તો તિહુઁ રહેલ કે ઊંચે રહેલ વિષયનો બોધ કરનારા જ્ઞાનનો અવધિ-જ્ઞાન તરીકે વ્યવહાર ન થાત. (અર્થાત્ ઉપર ઉપરના દેવલોકના દેવો યાવત્ અનુત્તરવાસી દેવો નીચે નીચે રહેલ (અધઃસ્થિત) વિષયોને જ ઘણા મોટા પ્રમાણમાં જોતાં હોવાથી ઉપર કહ્યા મુજબ વ્યુત્પત્તિ કરેલી છે, બાકી ઉપર અને તિર્છા રહેલ પદાર્થોને પણ જાણી શકે છે.)
અથવા ‘અવિધ' એટલે મર્યાદા. અમૂર્ત પદાર્થોદ્રવ્યોને છોડીને મૂર્તિ એટલે રૂપી પદાર્થોને આશ્રયીને થતું હોવાથી (મર્યાદાપૂર્વક બોધ કરવાથી) ‘અધિજ્ઞાન' કહેવાય છે. આનું સ્વરૂપ બતાવતાં ટીકાકાર કહે છે, આ અવધિજ્ઞાન (૧) ચારેય ગતિઓમાં વર્તતાં જીવોને (૨) ઇન્દ્રિયની અપેક્ષા વિના મનના પ્રણિધાન = એકાગ્રતાથી જન્ય (ઉત્પન્ન થતાં) વીર્ય (પરાક્રમ)વાળું (૩) અત્યંત વિશિષ્ટ ક્ષયોયશમ રૂપ નિમિત્તથી થનારુ (૪) પુદ્ગલ (રૂપી) દ્રવ્યોનો બોધ કરનારું અને (૫) દેવ-મનુષ્ય-તિર્યંચ અને નરકના જીવો જેના સ્વામી/માલિક/ધારક છે એવું અવધિજ્ઞાન છે. અધિશ્ન સ, જ્ઞાનં ૪ તત્તિ અવિષે એવું જ્ઞાન તે ‘અધિજ્ઞાન’.
(૪) મન:પર્યાય જ્ઞાન : મન બે પ્રકારનું છે. (૧) દ્રવ્ય-મન અને બીજું (૨) ભાવમન. તેમાં (૧) દ્રવ્યમન તે મનોવર્ગણાના પુદ્ગલો અને (૨) ભાવમન એટલે તે જ વર્ગણાઓ - જીવે ગ્રહણ કરીને તેને મન રૂપે પરિણમાવી હોય અર્થાત્ ચિંતન-મનન કરવામાં ઉપયોગમાં લેવાઈ હોય ત્યારે તે ભાવ-મન કહેવાય. આ બેમાં અહીં ભાવ-મનનું ગ્રહણ કરાય છે. તે ભાવ મનના પર્યાયો = એટલે ભેદો. તે ભેદો આ પ્રકારે હોય. ૧. પૂ. । મૂર્તિ॰ મુ. | ૨. વ.પૂ.ત્તિ.ના. | તા॰ મુ. / અધિક્ષ જ્ઞાનં પૂ. ।