________________
પરિચ્છેદ ૧ એ સ્પષ્ટ છે.
પણ જે સારા છે તે ધર્મિષ્ઠ છે અને તેઓ અધર્મ આચરશે. નહિ એટલું તો ખરું ને ?
ખરું જ.
ત્યારે તમારી દલીલ પ્રમાણે, જેઓ કંઈ પણ ખોટું કરતા નથી. તેમને નુકસાન કરવું એ ધર્મ થયો, નહિ?
ના, સેક્રેટિસ, એ સિદ્ધાન્ત અનીતિમય છે.
ત્યારે ધર્મિષ્ઠનું આપણે ભલું કરવું જોઈએ, અને અધમનું અનિષ્ટ કરવું જોઈએ ?
એમ હોય તો મને વધારે ગમે.
પણ તેથી પરિણામ શું આવશે તે જુએ–મનુષ્યસ્વભાવની જેમને ખરી પરખ નથી, તેવા ઘણા માણસને મિત્રો હોય છે તે ખરાબ (ડુ) હેવાના; તે એ સંજોગોમાં તેમણે તેમનું નુકસાન કરવું જોઈએ; અને તેમના દુશ્મને જે સારા છે તેમને તેમણે લાભ આપવો જોઈએ; પણ જો એમ હોય તો સાઈમનાઇડિઝને અમુક અર્થ અભિપ્રેત છે એમ જે આપણે પ્રતિપાદન કરતા હતા, તેનાથી તદ્દન વિધી બાબત આપણે કહીએ છીએ એમ થશે.
તેણે કહ્યું ઃ બહુ સાચું, અને હું માનું છું કે “મિત્ર” અને દુશ્મન” એ શબ્દોને ઉપગ કરતાં આપણે ભૂલ કરી એમ દેખાય છે, તે આપણે સુધારીએ તો વધારે સારું.
મેં પૂછયું : એ કઈ ભૂલ, પિલિમાર્કસ ?
આપણે માની લીધું કે જે સારા છે એમ આપણે માનતા હોઈએ અથવા જે સારે દેખાય છે–તે મિત્ર છે.
અને ભૂલ સુધારવી કેવી રીતે ?
આપણે ઊલટું એમ કહેવું જોઈએ કે જે સારે દેખાય છે, તેમ જ જે સારે છે તે મિત્ર છે; અને જે માત્ર સારે (૩૩૫) દેખાય છે, પણ જે ખરેખર સારે નથી, તે મિત્ર નથી પણ માત્ર