________________
૧૩૮
પરિચ્છેદ ક
તેણે કહ્યું: હું પણ એમ જ માનું છું. () અનુક્રમમાં ખીજા હવે રાગ અને ગીત આવે છે.× એ સ્પષ્ટ છે.
આપણે આપણી જાત સાથે જો સુસંગત રહેવું હોય, તેા એ વિશે આપણે શું કહેવું જોઈએ એ દરેક સમજી શકશે.
ગ્લાઉકાને હસતાં કહ્યું: મને ભય છે કે ‘ દરેક ’એ શબ્દમાં ભાગ્યે જ મારા સમાવેશ થઈ શકે, કારણ તે કેવાં હોવાં જોઈ એ તે આ ક્ષણે હું કહી શકું એમ નથી; જો કે હું અટકળ કરું ખરે.
કંઈ નહિ તે એટલું તેા તમે કહી શકેા કે ગીત અથવા કાવ્યનાં ત્રણ અંગ હાય છે—શબ્દો, રાગ અને તાલ; ( ૩ ) ( તમને ) આટલું તેા જ્ઞાન છે એમ હું પહેલેથી માની લઉં ખરું ને ?
તેણે કહ્યું: હા, એટલું માનવું હાય તેા ભલે માને.
અને શબ્દો વિશે—જે શબ્દસમૂહ માટે સંગીત ચેોજવામાં આવ્યું છે અને જે શબ્દો માટે સ ંગીત યાજવામાં આવ્યું નથી એ એ વચ્ચે જરૂર કશે। તફાવત હાઈ ન શકે;* અંતે એના એ નિયમેાનું પાલન કરશે, અને આપણે એ નિયમેા તે। કયારના નિશ્ચિત કરી નાંખ્યા છે, નહિ ?
હા.
અને રાગ તથા તાલના આધાર શબ્દો પર રહેશે ખરું ને ?
જરૂર.
જ્યારે આપણે ( કાવ્યનાં) વસ્તુના વિષયની વાત કરતા હતા, ત્યારે આપણે કહ્યું હતું, કે વિલાપ અને શેાકના સૂરાની આપણને કશી જરૂર નથી ?
ખરું.
× માનસિક કેળવણી ચાલુ: પરિ. ૩-મુદ્દો-૬ : રાગ અને તાલ, * જુએ નીચે ૪૦૦-૩