________________
૩૩૮
પરિછેદ ૬
હા, એક બસ છે.
આપણે જે કાયદા અને સંસ્થાઓનું વર્ણન કરતા આવ્યા છીએ તે (બધા) એ શાસ્ત્રકાર (એમના પર) નાંખશે, અને નગરવાસીઓ સ્વેચ્છાએ તેનું પાલન કરે એ સંભવિત છે?
જરૂર.
અને આપણે જેને અનુમતિ આપીએ છીએ, તેને બીજાઓ પણું અનુમતિ આપે એમાં કશે ચમત્કાર કે કશે અસંભવ નથી ?
(૪) હું નથી માનતો.
પણ જે કંઈ અગાઉ આવી ગયું તેમાં આપણે પૂરતી રીતે બતાવી આપ્યું છે કે આ બધું જો શક્ય હોય તો જરૂર ઈષ્ટતમ છે.
આપણે બતાવી આપ્યું છે ખરું.
અને હવે આપણું કાયદાને જે તેઓ અમલમાં મૂકી શકતા હોય તો તે ઈષ્ટતમ છે એટલું જ નહિ, પરંતુ આપણે એમ પણ કહીશું કે એને અમલમાં મૂકવા એ જો કે કઠિન છે તે પણ અશક્ય નથી.
બહુ સારું.
અને આ રીતે મહેનત અને કષ્ટ વેઠીને આપણે એક વિષયના છેડા સુધી આવી પહોંચ્યા છીએ, પણ ચર્ચામાં જે કંઈ બાકી છે તે તો આથી વધારે છે;–(૩) બંધારણના તારણહારેને આપણે કયા અભ્યાસ અને વિષયોની મદદથી અને કેવી રીતે પેદા કરીશું તથા તેમને ભિન્ન ભિન્ન અભ્યાસ કઈ કઈ ઉમ્મરે તેમણે કરવાને છે ?
જરૂર.
હું જાણતો હતો કે સંપૂર્ણ રાજ્યને લેકે ઈષ્યની નજરે જશે, અને એને પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ છે, અને આ જ કારણે મેં સ્ત્રીઓ પરનું સ્વામિત્વ તથા પ્રજોત્પત્તિ અને શાસનકર્તાઓની નિમણુંક
• મુદ્દો : ૪ ફરીથી કેળવણીને પ્રશ્ન આવે છે. શિક્ષણ પદ્ધતિને ખરડે નં. ૨.