________________
આપણે કેાઈ છડીદાર ભાડે લાવવાની જરૂર છે ખરી કે પછી હું જ જાહેર કરું કે એરિસ્ટોનના (2) પુત્રે એ ચુકાદો આપે છે જે સર્વથી શ્રેષ્ઠ છે તથા સૌથી વધારે ધર્મિષ્ઠ છે (૪) તે જ સૌથી વધારે સુખી પણ છે, અને જે પોતાનો રાજા (સ્વામી) છે તથા રાજવી પુરુષ છે તે જ આ છે; અને સૌથી વધારે દુષ્ટ તથા અધમ માણસ સૌથી વધારે દુ;ખી પણ છે, અને જે પિતાની જાત ઉપર સૌથી વધારે જુલમ કરવા ઉપરાંત રાજ્ય ઉપર પણ સૌથી વધારે જુલમ કરે છે તે એ છે, ખરું ને ?
તેણે કહ્યું: તમે પોતે જ આ ઢંઢેરો બહાર પાડે.
અને “પછી ભલે દેવ તથા માણસો જુએ કે ન જુએ” એટલું હું ઉમેરી શકું?
ભલે ઉમેરો.
મેં કહ્યું ત્યારે આપણી આ પહેલી સાબીતિ થઈ; અને (૩) જેનું થોડું ઘણું વજન પડે એવી બીજી સાબીતી પણ છે.
એ કઈ?
આત્માના સ્વભાવ પરથી બીજી સાબીતી ઉતરી આવે છે. રાજ્યની માફક વ્યક્તિગત આત્માના આપણે ત્રણ તમાં વિભાગ પાડ્યા છે એ જોતાં મને લાગે છે કે એ વિભાગમાંથી નવી સાબીતી મળી રહે.
કઈ જાતની ?
મને લાગે છે કે આ ત્રણ તને અનુરૂપ ત્રણ ભિન્ન પ્રકારનાં સુખે રહેલાં છે; ત્રણ જાતની ઈચ્છાઓ+ તથા શાસન કરનાર શક્તિઓ પણ.
* ગ્રીક ભાષામાં “Arist os =” “A g a tb o s=good; સા ] ઇ; “એરિસ્ટેન” શબ્દ ઉપર અહીં લેષ છે.
+ 'Epithumia' in the wider seose. મુદ્દો ૫. ચિત્તના બંધારણની દૃષ્ટિએ આપેલી બીજી સાબીતી.