________________
પરિચ્છેદ ૧ તમે સૂર્ય અને આકાશ, પૃથ્વી તથા અમારી પોતાની જાત, અને પ્રાણીઓ તથા ઝાડપાન તથા આપણે હમણુ જે વિશે વાત કરતા હતા તે બીજી તમામ વસ્તુઓ દર્પણમાં સર્જી શકે.
તેણે કહ્યું: હા, પણ એ તે માત્ર આભાસ છે. ' કહ્યું: ઘણું સારું, તમે હવે મુદ્દા પર આવતા જાઓ છે; અને મારા ખયાલ પ્રમાણે ચિત્રકાર પણ એવો જ એક બીજો– આભાસોનો સર્જનહાર છે, શું એ નથી ?
અલબત્ત.
પણ હું કહ્યું છું તે અનુસાર તમે તે એમ કહેશે કે એ જે સજે છે તે અસત્ય છે, અને છતાં અમુક અર્થમાં તો ચિત્રકાર પણ ખાટલાને સજે છે.
તેણે કહ્યું: હા, પરંતુ સાચ્ચો ખાટલો નહિ.
(૫૭) અને જે માણસ ખાટલો ઘડે છે તેનું શું ? તમે શું એમ કહેતા નહતા કે, આપણું દૃષ્ટિબિંદુ અનુસાર, જે તત્વ ખાટલાનું રહસ્ય છે તે નહિ, પણ એક માત્ર ખાટલો જ એ બનાવે છે ?
હા, મેં કહ્યું હતું.
ત્યારે જે ખરેખરું અસ્તિત્વ ધરાવે છે અને જો એ સજી શકતો ન હોય, તો સત્ય અસ્તિત્વને નહિ પરંતુ માત્ર અસ્તિત્વના કોઈ આભાસને જ એ સજી શકશે; અને જે કોઈ માણસ એમ કહે કે ખાટલા ઘડનારની કે બીજા કોઈ કારીગરની કૃતિ ખરેખરું અસ્તિત્વ ધરાવે છે, તો એ સત્ય બેલે છે એમ ભાગ્યે જ કહી શકાશે.
તેણે જવાબ આપ્યઃ કાઈ નહિ તોપણ ફિલસ એમ કહેશે કે એ સાચું બોલતે નથી.
તે પછી એના નમૂનામાં સત્યને અવિર્ભાવ ઓછો થતો હેય તે નવાઈ નહિ.
(6) કશી નવાઈ નહિ.