________________
૫૬૪
થય
પણ આમ બને છે.
ખરું.
શું રાજ્યામાં કે પછી શું વ્યક્તિઓના જીવનમાં, સ્વતંત્રતાની અતિશયતા ગુલામીની અતિશયતામાં જ પરિણમતી દેખાય છે. હા, એ નૈસગિક ક્રમ છે.
અને આ રીતે પ્રજાસત્તાક રાજ્યમાંથી સ્વાભાવિક રીતે જ જુલમી રાજ્ય, અને સ્વત ંત્રતાના સૌથી અંતિમ પ્રકારમાંથી ભારેમાં— ભારે ઉત્કટ પ્રકારનાં જુલમ અને ગુલામી ઉત્પન્ન થાય છે.
આપણી ધારણા અનુસાર.
પરંતુ હું માનું છું કે તમારા પ્રશ્ન આ ન હતા--એ અંધાધૂંધી તે કઈ છે કે જે મૂડીવાદી રાજ્ય તથા પ્રજાસત્તાક (ત્ર) રાજ્યમાં ઉત્પન્ન થાય છે અને બંનેના ાશ કરે છે—એ જાણવાની તમારી ઇચ્છા હતી, ખરું ને?
તેણે જવાબ આપ્યા; બરાબર એ જ.
મેં કહ્યું: વારુ, હું આળસુ ઉડાઉ લેાકેાના વર્ષાંતે ઉલ્લેખ કરવા માગતા હતા, જેમાંના વધારે શુરવીર હોય તે નેતાઓ થાય છે અને વધારે કણુ અનુયાયીઓ થાય છે—એ જ જેમને આપણે કેટલાએક ડંખવાળા અને ખીજા ડંખ વગરના ભમરાઓની સાથે સરખાવતા હતા. બહુ ચેાગ્ય સરખામણી.
શરીરમાં કફ્ અને પિત્ત હાય છે એના જેવા આ બે વ જે કાઈ નગરરાજ્યમાં પૈદા થાય છે તેને મરકીરૂપ થઈ પડે છે. (F)
* આ સિદ્ધાન્ત રાજ્યબંધારણાના વિશિષ્ટ સ્વરૂપને લાગુ પાડવાને છે, સામાન્ય સ્વરૂપને નહિ, કારણ નહિ તેા આદર્શ નગર રાજ્યમાંથી એકŁમ જ જુલમી રાજ્ય ઉત્પન્ન થાય.
લગભગ સામ્યવાદના સિદ્ધાન્ત કે હરકેાઈ પક્ષ (Thesis) માંથી એને પ્રતિપક્ષ ( Ant!thesis ) ના ઉદભવ થાય છે, જો કે પ્લેટામાં ઉચ્ચતર સમન્વય ( Synthesis ) ની પ્રક્રિયા આવતી નથી.