________________
પરિચછેદ ૩
જેઓ શરીરે રેગિષ્ટ છે તેમને તે મરવા દેશે, તથા દુષ્ટ અને (માનસિક વ્યાધિવાળા) અસાધ્ય આત્માઓ પોતાની જાતે પિતાને અંત આણશે.
રાજ્ય તથા દરદીઓ – બન્નેની દષ્ટિએ આ વાત સૌથી સારી છે એ સ્પષ્ટ છે.
અને આ રીતે, આપણે કહ્યું તેમ જે માનસિક કેળવણી સંયમ પ્રેરે છે તેનું જ માત્ર શિક્ષણ મળવાથી આપણે યુવાન કેટે ચડવાની ઇચ્છા નહિ કરે.
એ સ્પષ્ટ છે.
(ર) અને (આવી માનસિક કેળવણી લીધાથી જેનું જીવન સંવાદી બન્યું છે એ) સંગીતજ્ઞ + આ જ રસ્તે ચાલીને સાદી શારીરિક કેળવણી લેવામાં સંતોષ માનશે, તે કઈ ગંભીર પ્રસંગ સિવાય એ દવાઓ સાથે લેવાદેવા નહિ રાખે.
હું એ તદ્દન માનું છું.
કસરતનાં અને મહેનતનાં એ જે જે કામ કરશે તેને હેતુ માત્ર પિતાના સ્વભાવના પ્રાણમય તત્ત્વને ઉત્તેજિત કરવાને હશે, નહિ કે પિતાનું (શારીરિક) બળ વધારવાને; સામાન્ય કસરતબાની જેમ એ કસરત અને પથ્યાપથ્ય ખેરાકની વિધિને પોતાના સ્નાયુઓ વધારવામાં ઉપયોગ નહિ કરે.
તેણે કહ્યુંઃ બહુ સાચું.
(ક) તેમ જ ઘણુ વાર માનવામાં આવે છે તેમ, એક તે આત્માના શિક્ષણને અર્થે અને બીજી શરીરને કેળવવા માટેન્કંઈ એ રીતે ખરેખર માનસિક અને શારીરિક કેળવણીની બે (ભિન્ન) કળાએ જવામાં આવી નથી.
* Musician. Music = “માનસિક શિક્ષણ” પરથી Musician.
- પરિ૩ : મુદ્દો-માનસિક તથા શારીરિક કેળવણુ વચ્ચેનો સંબંધ. સરખા ૩૯૮-સ્