________________
૪૦.
૧૪૩
હતા તેની મને પૂરેપૂરી ખાત્રી નથી—એ પ્રશંસા કે નિ ંદા કરતા હાય એમ દેખાતું હતું; પરંતુ હું કહેતા હતા તેમ આ વિગતે ડૅમનને પોતાને પૂછી હાય, તેા જ વધારે સારું, કારણ તમે જાણેા છે કે વિષયનું પૃથક્કરણ કરવું મુશ્કેલ છે—નહિ ?
મારે કહેવું જોઈ એ કે જરા ( મુશ્કેલ ) તે ખરું.
પરંતુ લાલિત્ય કે લાલિત્યના અભાવ તે સારા કે ખરાબ તાલનું પરિણામ છે એટલું જોઈ શકવામાં તે કંઈ મુશ્કેલી પડે એમ નથી. જરા પણ નહિ.
(૩) અને એ પણ -- કે સારા અને ખરાબ તાલ સ્વાભાવિક રીતે જ સારી અને ખરાબ શૈલી સાથે એક થઈ રહે છે; અને એવી જ રીતે સંવાદ અને વિસ વાદ શૈલીને અનુસરે છે; કારણ આપણા સિદ્ધાન્ત અનુસાર શબ્દો સંવાદ ( તાન ) અને તાલ (તે)નું નિયમન કરે છે, નહિ કે એ (અને) શબ્દોનું.
તેણે કહ્યું: એમ જ, સંવાદ અને તાલે શબ્દાનું અનુસરણ કરવું જોઈ એ.
અને શબ્દો અને શૈલિના સ્વરૂપના આધાર શુ આત્માના સ્વભાવ પર રહેલા નથી ?
હા.
અને બીજા બધાના આધાર શૈલિ પર !
હા.
ત્યારે શૈલિ અને સ્વરસંવાદ અને લાલિત્ય અને ( ૬ ) સારા તાલનું સૌદર્યાં. સરલતાને અવલ બીને રહ્યું છે—મારો કહેવાનો અર્થ એ છે કે સુવ્યવસ્થિત અને મહાનુભાવ ચિત્ત અને ચારિત્ર્યની સરલતા; નહિ કે પેલી બીજી સરલતા જે માત્ર મૂર્ખાઈ ને બદલે વપરાતા એક હળવા શબ્દ છે ?
તેણે જવાબ આપ્યો : તદ્દન ખરું.
અને જો આપણા યુવાને પેાતાનું જીવનકાર્ય સિદ્ધ કરવાનું હોય