________________
પરિછેદ ૨
મળી આવે છે; આપણો મિત્ર કૂતરે એનું બહુ સારું ઉદાહરણ છે.
તમે જાણો છો કે પિતાના પરિચિત અને ઓળખીતાઓ તરફ તે બધી રીતે નમ્ર હોય છે અને અજાણ્યાઓ તરફ એથી ઉલટો જ હેય છે.
હા, જાણું છું.
તે પછી ગુણોના એવા જ સજનવાળા કેઈ પાલક આપણને મળી આવે તો એમાં કશું અસંભવિત કે કુદરતના નિયમ વિરુદ્ધ નથી, –નહિ ?
અવશ્ય નહિ.
(હ) પ્રાણવાન સ્વભાવ ઉપરાંત, જે પાલક થવાને યોગ્ય છે એને ફિલસૂફના ગુણોની શું આવશ્યકતા નહિ રહે ?
તમારે અર્થ હું સમજતો નથી.
(૩૭૬) મેં જવાબ આપ્યો : જે ખાસિયત વિશે હું અત્યારે વાત કરું છું એ કુતરામાં પણ મળી આવે છે, અને તે પ્રાણી એ માટે પ્રસિદ્ધ છે.
કઈ ખાસિયત ?
કેમ, જ્યારે જ્યારે કૂતરે અજાણ્યાને જુએ છે, ત્યારે ત્યારે એ ગુસ્સે થાય છે; અને જાણીતાને જુએ ત્યારે આવકાર આપે છે, જે કે એકે એનું કદી નુકસાન કર્યું નથી, અને બીજાએ કહ્યું ભલું કર્યું નથી. તમને શું આ કદી વિચિત્ર લાગ્યું નથી ?
આ વાત પહેલાં કદી મારું ધ્યાન ખેંચ્યું નહોતું, પરંતુ તમારા કથનનું સત્ય હું તદ્દન સમજી શકું છું.
અને, જરૂર, કૂતરાની આ સાહજિક પ્રેરણું અત્યંત (૨) સુંદર છે—આપણે કૂતરે સાચો ફિલસૂફ છે.
શાથી ?
-