________________
૨૩૯
પ્રકરણ ૪ યું ? ઉપાધ્યાય
(૨) સંસ્થાનપદમાં ર૪ દંડકનાં જીવોનાં નિવાસસ્થાનનું વિસ્તારથી વર્ણન છે, સિદ્ધશિલા અને સિદ્ધ ભગવાનનું કથન છે. કોઈ સ્થળે જીવને જોયે નહિ, તે પછી શરીરમાં જીવ કયાં હશે ?
શ્રી કેશી મુનિ–હે રાજન ! તું એક કડિયારા જેવો મૂર્ખ લાગે છે.
એક વખત કેટલાક કઠિયારા વગડામાં લાકડાં કાપવા ગયા. તેઓએ પિતામાંના એક કઠિયારાને એક જગ્યાએ બેસાડી કહ્યું કે ભાઈ તું અહીં બેસજે. આ અરણીના લાકડામાંથી અગ્નિ સળગાવી ભોજન તૈયાર કરજે. અમે બધા લાકડાં કાપીને આવીશું ત્યારે અમારાં લાકડામાંથી તને ભાગ આપીશું. બીજા બધા લાકડાં કાપવા ગયા. પછી આ કઠિયારે રસેઇને માટે અગ્નિ મેળવવા અરણીના છોડનાં લાકડાં લાવી તેના કટકે કટકા કરી નાંખ્યા પણ તેમાંથી દેવતા મળી શકો નહિ. છેવટે બધા કઠિયારા લાકડાં કાપી ત્યાં આવ્યા અને આ કઠિયારાને અરણીના લાકડાના કટકા કર તથા તેમાં અગ્નિ શોધતે જોઈ હસી પડ્યા. તરત જ તેઓએ પોતાના હાથે અરણીના લાકડાને પરસ્પર ખૂબ ઘસી અગ્નિ ઉત્પન્ન કરી રસોઈ બનાવી.
હે રાજન ! તું પણ પેલા કઠિયારા જે મૂખે છે
પરદેશી રાજા–મુનિ મહારાજ ! હું એમાં કંઈ સમજ્યો નથી. મને તે પ્રત્યક્ષ દાખલે આપી શરીરમાં જીવ છે એ સાબિત કરી બતાવે તે માનું.
શ્રી કેશી મુનિ–ભલા, આ સામેના ઝાડનાં પાંદડાં શાથી હાલે છે ? પરદેશી રાજ–હવાથી. શ્રી કેશી મુનિ–એ હવા કેવડી મોટી છે તથા તેનો રંગ કે છે ! પરદેશી રાજા–એ હવા દેખાતી નથી તેથી હું શી રીતે કહી શકું ?
શ્રી કેશી યુનિ–હવા દેખાતી નથી, છતાં તે શી રીતે જાણ્યું કે હવા છે ?
પરદેશી રાજા–આ પાંદડાં હલે છે તેથી.
શ્રી કેશી મુનિ-બસ, એ પ્રમાણે શરીરની હાલવા-ચાલવા વગેરે ક્રિયાથી આપણે જાણીએ કે તેમાં જીવ છે.
પરદેશી રાજા-મહારાજ ! આપે કહ્યું કે બધા જીવ એકસરખા છે, તે કીડી નાની અને હાથી મોટો શી રીતે હોઈ શકે ?
શ્રી કેશી મુનિ–એક દી વાટકાની અંદર જેમ વાટકા જેટલી જ જગામાં પ્રકાશ ફેલાવે છે અને તે જ દીવો મહેલની અંદર મહેલ જેટલી જગામાં પ્રકાશ આપે છે તે વખતે દીવાની જ્યોત કંઈ નાનીમોટી હતી નથી પણ એકસરખી જ હોય છે, તે પ્રમાણે જીવનું શરીરરૂપી ઘરમાં સમજવું.