________________
પંચમ ઉદ્દેશક
વનસ્પતિકાય
[૧] જંબૂ! જે બુદ્ધિમાન અને સાવધાન સાધક અભયને યથાર્થ રૂપે ઓળખીને “કાઈ પ્રાણી જાતને નહિ દૂભવું” એવો નિશ્ચય કરે છે અને હિંસાદિ કાર્યોથી તથા સંસારનાં બંધનોથી વિરક્ત થાય છે તે જ જૈનસંઘને અણગાર (ત્યાગી) શ્રમણ કહેવાય છે.
નેંધ –અભયની બીના અગાઉના ઉદ્દેશકમાં આવી ગઈ છે.
[૨] જંબૂ બેલ્યા–ગુરુદેવ ! કર્મના બંધનનું તથા જરામરણરૂપ સંસારચક્રનું મૂળ કારણ શું હશે ?
ગુરુદેવે કહ્યું –શદાદિ વિષયો–કામગુણો–એ સંસારનું કારણ છે અને સંસાર એ વિષયેનું કારણ છે.
નોંધ –વસ્તુતઃ અહીં કારણને ઉદ્દેશ ઉપાદાન કારણ નહિ પણ નિમિત્ત કારણ પૂરતો છે. સંસારનું ઉપાદાન (મૂળ) કારણ તે આસક્તિ જ છે, અને વિષય તો માત્ર નિમિત્ત (ગૌણ–આનુષંગિક) કારણો છે. પરંતુ નિમિત્ત કારણે પણ ઉપાદાનનાં ઉત્તેજક તો છે જ. આથી નિમિતે કારણથી સાવધ રહેવું એ સાધકની સાધનાનું પ્રથમ લક્ષ્ય હોવું ઘટે.
[3] ભગવન! વિષયે સંસારનું કારણ શી રીતે બની શકે ?
આત્મનિષ્ઠ જંબૂ! ઊંચી, નીચી, તીરછી અને પૂર્વાદિ દિશાએમાં જઈને કે રહીને આ જીવાત્મા અનેક પદાર્થોના સંસર્ગમાં આવે