________________
૧૦૫ માગધી ભાષામાં સંગ્રહાયેલી છે........આ જૈન સાહિત્યને ગૂજરાતી ભાષામાં ઉતારવાની જરૂર ઊભી જ હતી. એ સેવા આ પ્રકાશન મંદિરે સુંદર રીતે ઉઠાવી લીધી છે. એણે એક વિદ્વાન અને સમદષ્ટિવંત સાધુને રોગ સાધ્યો છે. અનુવાદક મુનિશ્રીનું ઉત્તરાર્થનસૂત્રનું સટિક ભાષાન્તર બહુ ગમ્યું હતું. આ અનુવાદ પણ ભાષાદષ્ટિએ જરૂર પૂરતાં ટિપણે તેમ જ સ્પષ્ટીકરણની દૃષ્ટિએ અને અભ્યાસલક્ષી
પ્રવેશકને હિસાબે અભિનંદન માગી લે છે-“જન્મભૂમિ” સાધક સહચરીઃ જીવન સંબંધી જેને નવીન દૃષ્ટિ ઉદ્દભવી હોય,
વિકાસના જે ઇચ્છુક હેય એવા જીવનસાધનાના વિકટ માર્ગે જનાર સાધકની આ સાચી સહચરી છે. ભ. મહાવીરના સાહિત્યમાંથી સાધકજીવનને ઉપયોગી સૂત્રો ચૂંટી કાઢી એને બનાવેલ આ ભાવનાવાહી સમલૈકી ગુજરાતી અનુવાદ છે. કલાપૂર્ણ સુંદર જેકેટવાળી, પાકા પૂઠાની કુલ પૃષ્ઠસંખ્યા ૧૫૦ ની, આ સહચરીની કિંમત માત્ર ૦-૪-૦, ૮. ખ. જુદું.
સામાજિક સાહિત્ય
શ્રી જ્ઞાન ગ્રંથમાળા આદર્શ ગૃહસ્થાશ્રમ-ગૃહસ્થાશ્રમની આદર્શતાને ઝંખતા ગૃહસ્થને
અર્પણ થયેલું, આ સમભાવી ત્યાગીનું અજોડ પુસ્તક છે. તમે ગૃહસ્થ છો ? તમે જીવન જીવવા ઈચ્છે છે કે પૂરું કરવાં ? માનવી માનવીને નાતે લેખક તમને
માર્ગદર્શન કરે છે. ભલા! ગૃહસ્થાશ્રમ એ ઝેર નથી, - અમૃત છે; તમે જીવતા તે શીખો-એ લેખકને પ્રેમ
ભર્યો આગ્રહ છે. એ ત્યાગીના હૃદયનાં ભાવભર્યા વચનો