Book Title: Acharanga Sutra
Author(s): Saubhagyachandra Maharaj
Publisher: Lakshmichand Zaverchand Sanghvi

View full book text
Previous | Next

Page 567
________________ આચારાંગસૂત્ર આસવ આસવના એ પ્રકાર છે. શુભ અને અશુભ-પુણ્ય અને પાપ–ને આ રીતે આસ્રવમાંયે સમાવેશ થઈ શકે છે. આસ્રવ એટલે ક, વાણી અને મનને યાગ. પોતે સ્વભાવે શુદ્ધ હેાવા છતાં જ્યારે એનામાં રાગદ્વેષાદ્દિની અસર થાય છે, ત્યારે એ જીવતે કર્મીની અસર થાય છે. એ કર્મના મૂળ આઠ અને વિસ્તૃત રીતે ધાતિ અને અધાતિના મળીને ૧૪૮ ભેદા થાય છે. તથા તરતમભાવે તે સાંપરાયિક અને ઈર્ષ્યાપકિ ક તરીકે કહેવામાં આવે છે. આમાનાં પરાભવ કરતાં તે સાંપરાયિક કર્મ કહેવામાં આવે છે. કષાય સહિત થયેલું કર્મ સાંપયિક અને અકષાયજન્ય ક્રિયાથી થતું કમ ઈયથિક કહેવામાં આવે છે. (આના પણ અનેક ભેદો છે. ) ૮૨ અંધ આત્મા પાતે સ્વભાવે શુદ્ધ હાવા છતાં ઉપર્યુકત રીતે કર્માંસ્ત્રવથી બંધાયેલા રહે છે. કર્મોની સાથે જીવની એકવાકયતા થવી એનું નામ અધ. આ કર્મ બંધને લીધે જન્મ, જરા, રેગ તથા મરણ વગેરે અવસ્થાએ ભાગવવી પડે છે અને તેને ચેાગ્ય ગતિ, શરીર, ઇન્દ્રિયા, પ્રાણ અને મનની સામગ્રી તૈયાર કરવી પડે છે. આયુષ્યના ધાત–પ્રધાત સહવાં પડે છે. દેહદઢતા હેાવા છતાં ભૂલને લીધે જીવાતું આયુષ્ય કેમ અને કેટલાં પ્રકારે તૂટે છે? તથા જીવાત્મા જ્યારે કર્મબંધનને અંગે જે ગતિ કે સ્થાનમાં યેાજાવા માટે ગતિ કરે છે તે વખતે તેની સાથે કર્મ સામગ્રી અને સૂક્ષ્મ શરીરા કેવા રૂપે રહે છે? એની ગતિ કેવા પ્રકારે થાય છે? ત્યાં એ આહાર વિના કેમ રહે છે? વગેરે ખૂબ ઊંડાણ ભરી અને મનેરંજક ચર્ચા જૈનદર્શનમાં મળે છે. અહીં વિસ્તારભયથી આપવી યેાગ્ય ધારતા નથી. જૈનદર્શન બધનાં મૂળ કારણો મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભયાગ વર્ણવે છે. એ કબંધ કષાયની તરતમતા ઉપર

Loading...

Page Navigation
1 ... 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598