________________
આચારાંગસૂત્ર
નોંધ:——વિષયાપભાગજન્ય સુખનો અનુભવ એટલે આત્માનું પતન. આથી વિષયાસક્તિ, પછી તે ગમે તે ઇંદ્રિયનો વિષય હાય, એ આત્માને હણવાનું શસ્ત્ર છે. તેને જે યથા સમજેછે, તે જ સંચમને આરાધે છે અને સચમના સાથે। આરાધક હાચ છે; તે જ વિષયાસક્તિથી પર રહી શકે છે. એટલે કે વિષચાસક્તિ જ ભવભ્રમણનુ કારણ છે, વિષયેા નહિ. આ ઉપરથી એમ ફલિત થયું કે વિષયાસક્તિ અને સંચમ એ બન્ને એકીસાથે રહી શકતાં નથી.
७८
[૧૧] હે જમ્મૂ ! અકર્માં સાધકને સંસારસ બંધ રહેતા નથી. કર્મથી જ સધળી ઉપાધિએ જન્મે છે.
નોંધઃ—આધ્યાત્મિક શબ્દોની પરિભાષામાં અનેક શબ્દોના સબંધમાં ખૂબ જ ગોટાળા થતો આવ્યા છે અને થાય છે. ઉપરના સૂત્રમાં જે સ્પષ્ટતા કરવામાં ન આવે તેા ક શબ્દ સમધમાં તેમ જ થાય. આસક્તિથી જન્મતી ક્રિયા એ જ ક અને નિરાસક્તિથી થતી ક્રિયા એ જ ધમ . આથી જ જૈનદર્શનમાં ધર્મની વ્યાખ્યા પણ ‘ વસ્તુને સ્વભાવ એ જ ધર્મ ' એ રીતની છે, અને આ રહસ્યનો વેત્તા સાધક જ સચમી છે એમ પણ ઉપરના સૂત્રમાં સૂત્રકાર સ્પષ્ટ વદ્યા છે. હવે આમાં શબ્દ મૂકીને એમ કહેવા માગે છેકે જે અકર્મા એટલે કે નિરાસક્ત હેાય છે તેને સંસારનો સખધ સ્વાભાવિક્તા
રહેતો જ નથી.
સંસાર એટલે આસક્તિપૂર્ણ વ્યવહાર. માટે જ તેનો સંબંધ ઉપાધિમચ હેાચ એ સ્વાભાવિક છે, અને તેથી સૂત્રકાર મહાત્મા પણ તે જ વધે છે કે કથી એટલે કે આસક્તિપૂર્ણ ક્રિયાથી જ ઉપાધિએ જન્મે છે.
સામાન્ય રીતે આવાં રહસ્યપૂર્ણ અને સ્યાદ્વાદથી લેાલ સૂત્રેા જો આપણે તે સમયની પરિસ્થિતિને અનુલક્ષીને ઉચ્ચારાયેલાં સમજીને તેના અર્થાના ઉકેલ ન લાવીએ તો અર્થને બદલે કેટલીક વાર અન જ થાય.
આ જ સૂત્રમાં રહેલા ક શબ્દનો કેવળ ક્રિયા એટલે અર્થ જ ક્રાઢીએ તા ક્રિયાથી લાને સંસારનેા વ્યવહાર રહેતા નથી એમ અર્થ નીકળે અને જો એ જ અર્થ નીકળે તેા ઠેઠ મુક્ત થયા સિવાયનો કોઈ પણ એવા જીવાત્મા ન નીકળે કે જે ક્રિયાત્મક ન હેાય. અને મુક્ત દશા એટલે તેા સિદ્ધ