________________
૪
આચારાંગસૂત્ર નવીનતાના ઉમેદવાર અને હકદારો સૌ હોવા છતાં એ નવીનતાની રસાનુભૂતિ સૌને એકસરખી કેમ જામતી નહિ હોય ? નવીનતાનું પાત્ર પામ્યા પછીય એમાં સ્થિરતા શાથી નહિ થતી હોય ? સાચી નવીનતા શામાં છે ? જીવનમાં છે કે જીવનની બહાર છે ? એ પ્રશ્નથી શ્રી આચારાંગને પ્રારંભ થાય છે.
અધ્યાત્મશાસ્ત્રીઓ કહે છે કે સાચી નવીનતાની તાલાવેલી જ નિત્યતન આત્માની જિજ્ઞાસા છે, અને એ નવીનતાની પ્રાપ્તિ
શોધ જૂનું છેડી દેવાથી જ મળી શકે છે.
જૂનું એટલે કૃત્રિમ અને નવું એટલે સહજ. તેઓ કહે છે કે • આત્માને કેઈ જોઈ શકતા નથી તોય એની સુન્દરતા (Beauty)
એવી છે કે તે તરફ સૌ આકર્ષાય છે તેનું કારણ એ છે કે એ સહજ હોવા છતાં નવીન છે. क्षणे क्षणे यन्नवतामुपैति तदैव रूपं रमणीयतायाः ।
તોથમરમાા અર્થ-જે ક્ષણે ક્ષણે અભિનવતા પામે છે તેવી રમણીયતા આત્મામાં છે.
જૂનું છોડી દેવું એનું નામ ત્યાગ. નવામાં જતાં જે અટકાવી રાખીને જૂનામાં જ મૂંઝવી મારે એ મેહ.
પણ જગતને પ્રશ્ન એ છે કેઃ “અમને તે ભોગ જોઈએ છે. ત્યાગ નથી જોઇતે. સૌદર્યલિસા અને રસોપભગ એ જીવનમાં બે
અમૂલાં તો છે. અધ્યાત્મશાસ્ત્ર એને જ જગતના સૂજન- ત્યાગ કરવાનું કહે છે. જગતને સાધુડા બનાવી મૂકવા જૂના પ્રશ્નો એ એને પ્રધાન સૂર છે. જગતમાં વાગી રહેલી
આ બંસરીના મૃદુ અને મંજુલ સ્વરને છેડી એ બસરા સૂરને સાંભળવાને અમારા કાન તૈયાર નથી. માફ કરે.”