________________ 59 જેમાં ચોસઠ પ્રહરી પૌષધ તેમજ વિવિધ તપશ્ચર્યાઓ તેમજ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, જીવદયા અને સાધારણ ખાતામાં સારી આવક થઈ હતી. ભાદરવા સુદ 5 ના પારણામાં પૂજા, સાધર્મિકવાત્સલ્ય શ્રી ચીમનલાલ સુખલાલ કોઠારી તરફથી થયું હતું, અને પ્રભુજીની ભવ્ય અંગરચના થઈ હતી. ભાદરવા સુદિ ૧૧ના અકબર નરેશ પ્રતિબંધક જગદ્ગુરુ તપાગચ્છાધિરાજ પૂ.પાદ આચાર્યદેવ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રીની સ્વગરહણ તિથિ નિમિત્તે સ્વ. શ્રી સવિતાબેનના શ્રેયાર્થે શ્રી ચીમનલાલ સુખલાલ કે ઠારી તરફથી શ્રી સંઘમાં 81 આયંબિલ તથા પ્રભાવના થઈ હતી. ભાદરવા સુદિ 14 ના પણ 81 આયંબિલ તથા પ્રભાવના એક સદગૃહસ્થ તરફથી હતી. ભાદરવા સુદિ 12 ના કલ્પસૂત્ર તથા રથયાત્રાને ભવ્ય વરઘોડે નીકળ્યું હતું. આ સુદિ ત્રીજના પૂ.પાદ આચાર્યદેવ આદિ પૂ. મુનિ ભગવંતેની શુભ નિશ્રામાં બાબુ શ્રી પૂરણચંદ્રજી નાહરના ઘર દેરાસરે દર્શનાર્થે શ્રી સંઘ સહિત ચૈત્ય પરિપાટીને કાર્યક્રમ થયો હતો. ધર્મતલ્લામાં પણ શ્રી સંઘ સહિત આચાર્યદેવના પગલા થયા હતાં. ત્યાં સ્નાત્ર પૂજા, વ્યાખ્યાન હતું. તેમજ શ્રી સંઘ તરફથી સાધર્મિક ભક્તિ થઈ હતી. આ સુદિ 8 થી શ્રી શાશ્વતી નવપદ ભ.ની ઓળી મંડાર (રાજસ્થાન) નિવાસી શ્રી મંગલચંદજી ચૌધરીના સુપુત્ર તરફથી સમારેહપૂર્વક થઈ. આસો વદિ 9 ના તેઓ તરફથી સિદ્ધચક્રમહાપૂજન ઉલ્લાસપૂર્વક ભણાયું. બધા મહાપૂજન તેમજ શ્રી શાંતિસ્નાત્ર મહત્સવના વિધિવિધાન શ્રી નવપદ આરાધક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust