________________ 0 0 0 0 0 0 શ્રી અને સરસ્વતીને વિવાદઃ 405 જાય છે? શું તમારી પાસે કાંઈ પણ માંગે છે ? આ તો તમારાં ભાગ્યના યોગે સાક્ષાત બ્રહ્મા જ બ્રાહ્મણના સ્વરૂપે આવ્યા છે. માટે શેઠ! તમે ડાહ્યા, નિપુણ અને શાસ્ત્ર થઈને આવું હલકા માણસને યોગ્ય વચન કેમ બોલે છે ?" ભાનુદત્ત શેઠે જવાબ આપે; “હું તમારા બધાયનાં વચનની ચતુરાઈને જાણું છું. આવી ચતુરાઈ કઈ બીજા પાસે કરવી, મારી પાસે નહિ. જે તમે કથાશ્રવણ કરવામાં આટલા બધા રસિક છે, તે આ બ્રાહ્મણને તમારા ઘેર બેલાવીને કેમ નથી સાંભળતા ? અમારા ઘરના આંગણામાં આ શો કોલાહલ માંડવો છે? માટે અહીંથી સૌ ઊઠી જાઓ, નહીં તે નોકર પાસે ગળું પકડી પકડીને કાઢવા પડશે. અહીં એક ઘડી પણ બેસશે નહીં, જલદી ચાલ્યા જાઓ.” ભાનુદન્ત શેઠનું આવું અનાદરવાળું વચન સાંભળીને પેલા બ્રાહ્મણ પાસે બેસીને સાંભળતા લોકો વિલખા થઈને સવે શેઠની નિંદા કરતા ઊઠયા. પેલો સરસ્વતી રૂપે અત્યાર સુધી કથા કહી રહેલ બ્રાહ્મણ પણ ઊઠયો, અને લક્ષમીનું આગમન થયું જાણીને વનમાં ગયો. શેઠે ઘરમાં આવીને વૃદ્ધાને કહ્યું; “માજી ! આપનાં કર્ણને શૂળ ઉત્પન્ન કરનાર પેલા બ્રાહ્મણને મેં કાઢી મૂક્યો છે. એવી યુક્તિથી તેને કાઢયો છે કે જેથી સર્વે લેકે પણ પિતાપિતાનાં ઘેર ગયાં છે માટે માજી ! હવે સુખેથી અહીં રહે.” વૃદ્ધાએ વિચાર્યું; “સરસ્વતી તે અપમાન પામીને ગઈ, હવે હું પણ ત્યાં જઈને તેના પિતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust