Book Title: Katharatna Manjusha Dhanya Charitra Part 01
Author(s): Vijaykanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 527
________________ 430 : કથારને મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તે વેચી ધન લઈને તમને આપીશ. તમે સુખેથી અહીં જ બેસે;” કહીને તે સોની આભૂષણને લઈને રાજા પાસે ગયે. રાજાએ તેને આવવાનું કારણ પૂછયું ત્યારે તે બેલ્યા; યુવરાજ અરિમર્દનની શોધ મને મળી છે, તે આપને નિવેદન કરવા આવ્યો છું તે સાંભળીને રાજા પણ ઉત્સુ કતાથી “શું? શું ?" એમ બે ત્યારે સોનીએ તે આભૂષણે દેખાયાં. રાજાએ તે જોતાં જ એાળખી લીધાં, એટલે આ કોણે આપ્યાં? એમ તેને પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે, “આ લાવનાર એક બ્રાહ્મણ છે, અને તે મારે ઘેર બેઠા છે. તેણે મને આ વેચવા આપ્યાં છે, તેથી હું આપને દેખાડવા લાવ્યો છું. રાજાએ સેવકને બેલાવી આજ્ઞા કરી; “જાવ જ હદી કરો, આ સોનીના ઘેર જે સુશર્મા નામનો પરદેશી બ્રાહ્મણ છે, તેને બાંધીને વિટંબના પૂર્વક અહીં લઈ આવે.” - તે સાંભળીને રાજપુરુષે એકદમ દેડ્યા અને સોનીને ઘેર રહેલા તે બ્રાહ્મણને ચોરની જેમ બાંધી કરીને વિટંબનાપૂર્વક રાજા પાસે લઈ આવ્યા. રાજાએ માત્ર નજરે જોઈને જ તેનો વધ કરવાની આજ્ઞા કરી, ત્યારે રાજસેવકે તે બ્રાહ્મણનું અધું મસ્તક મૂંડાવી, ગધેડા પર બેસાડી, મનમાં વિચાર કરવા લાગે; “મેં વાઘ વાનર તથા સપનું વચન માન્યું નહિ. તેનું ફળ મને આ મળ્યું. આમ તે મનમાં વિચાર કરતે હતા, તેવામાં તેને ત્યાં નજીકના વૃક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537