________________ 0 0 0 0 0 0 0' પુણ્યવાન ગુણસાર શ્રેષ્ઠી : 8 વળી પાછા તે આવશે. જમાઈ તથા જમનું પિટ કેઈથી પૂરાયું જ નથી, સર્વસ્વ આપી ઘો તો પણ તેઓને તૃપ્તિ થવાની નહિ. માટે એમને મેટું જ ન દેખાડવું જેથી તેઓ આવ્યા છે, તેવા પાછા ચાલ્યા જશે.” આ પ્રમાણે પરસ્પર નિર્ણય કરી તે બધા અવળું મેટું કરીને ઉભા રહ્યા. ગુણસાર પણ ચતુર હોવાથી બધું સમજી ગયો તેણે મનમાં વિચાર્યું; “સ્ત્રીનાં વચનને આદર આપી અહીં આવ્યો તે મેં ઠીક ન કર્યું. નિધનમાં તથા શબમાં કાંઈ પણ તફાવત નથી, એવું નીતિવાક્ય જાણ્યતાં છતાં મેં અહીં આવવાનું સાહસ કર્યું, તેમાં મેં મારી મૂર્ખતા જ બતાવી આપી છે. સસરાને ઘેર માનભ્રષ્ટ થવું તે મનુષ્યને સર્વથી વધારે દુઃખકર્તા છે, પરંતુ હવે શું કરવું ? ભાવિભાવ, બનવાનું હતું તે બન્યું. પૂર્વકમનો ઉદય આવો જ હશે.” આમ વિચારીને નીચું મોઢું રાખી તે ગુણસાર સાસરાનાં ઘરમાં ગયે. - સાસુએ પણ જમાઈને એવી અવસ્થામાં જોઈને બહુ આદરસત્કાર કર્યો નહિ. સામાન્ય વહેવારુ રીતે ફક્ત પૂછયું; આવો, અમારી પુત્રી તે કુશળ છે ને?” આ પ્રસંગે ગુણસાર ઉભે ઉભે વિચાર કરવા લાગ્યું; “અગાઉ પિસાદાર સ્થિતિમાં હું અહીં આવતું હતું, ત્યારે આ મારા સગા સંબંધીઓ ભેગાં થઈને એક બે ગાઉ સામે આવી મળી ભેટીને મેટા ઠાઠમાઠ સાથે મને ઘેર લઈ જતા હતા અને મારી સેવા કરવા દર પળે તૈયાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust