________________ * * ૦ના નવા : રાગ- 0 0 0 0 0 - છું, અને વિવેક સિવાય કેવળ અજ્ઞાન કષ્ટ સહન કરનાર પાપાનુબંધી પુણ્યવાળા તારી તે હું સ્વામીની છું. સમજો કે તું તે મારા દાસને પણ દાસ છે. નોકર ઉપર તે વળt ભક્તિ હોતી હશે ?" “હે લક્ષમી ! મારા તથા આનામાં આટલો બધો ભેદ. તું શા માટે રાખે છે? આ તને શું આપી દે છે, અને હું તારું શું લૂંટી લઉં છું? અમારા બંનેમાં મનુષ્ય એક સરખું હોવા છતાં તું આ ભેદ રાખે છે, તેને ઘટતું નથી. વળી હું તે પ્રયત્ન કરીને સાચવું છું અને આ શેઠ તે તને જેમ આવે તેમ, જે તે સ્થાને ફગાવી દે છે. તે છતાં તું આના ઉપર પ્રેમ રાખે છે અને મારાથી મેટું મરડે છે, તેનું કારણ શું તે કહે.” આ વાત સાંભળીને લક્ષમીએ તેને જવાબ આપ્યો; “હે અજ્ઞ! પાછળબુદ્ધિ બ્રાહ્મણ! તું સાંભળ. શુદ્ધ શ્રદ્ધાવાન આ શેઠે વિનય, વિવેક, દયા, નીતિ, હર્ષ, ઉલ્લાસ તથા લાગણીપૂર્વક, વિષ–ગરલઆદિ અનુષ્ઠાન રહિત તથા કેઈ જાતનું નિયાણું કર્યા વગર પૂર્વભવમાં શ્રી જૈન ધર્મનું આરાધન કર્યું હતું, અને તેથી તેને આવા અનુપમ ફળની પ્રાપ્તિ થઈ છે. વળી આ ભવમાં તે શેઠ દાન પુણ્યમાં સદા પૈસાને વ્યય કરતો રહે છે, અને ધર્મ કરવામાં નિરંતર તે ઉપયોગ રાખે છે; જેમ સુગંધી પદાર્થો લગાડવાથી વસ્ત્રાદિ સુગધી થાય, તે તેનું આનુષગિક ફળ છે, તેવી રીતે આ ભેગો તેણે અગાઉ કરેલ ધર્માનુષ્ઠાનના આનુષં-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust