________________ 220 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 બેલાય, તેથી આ પણ માનની હાનિ થાય; માટે ત્રીજે ઉપાય ભેદ તે જ સાધ્ય કરવા લાયક છે. તે સ્વામી! જેવી રીતે વિધ ઉત્તમ રસાયણનો પ્રયોગ કરે ત્યારે સર્વ રોગો ક્ષણવારમાં નાશ પામી જાય છે, તેવી જ રીતે જ્યારે હું ઈચ્છિત કાર્ય સાધનાર ભેદ ઉપાયરૂપી રસાયણનો પ્રયોગ કરીશ, ત્યારે વિરીરૂપી વ્યાધિઓનો ક્ષણમાં નાશ થઈ જશે, માટે આપ આ સેવકનું બુદ્ધિકૌશલ્ય જુઓ ! આપ પૂ તો સુખે સુઈ રહેવું, આ બાબતની જરા પણ ઉપાધિ કરી મનને ચિંતામાં દરવાની આપ પૂજ્ય પિતાશ્રીને જરા પણ જરૂર નથી!” અભયકુમારે સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરીને શત્રુના સૈન્યનો હવે પછી જ્યાં પડાવ થવાને હતો અને મુખ્ય સોળ રાજાઓ તથા તેની સાથે આવનારા બીજા રાજાઓના જ્યાં જ્યાં તંબુએ નંખાવવાના હતા, ત્યાં ત્યાં ખોદાવીને “ભૂમિની અંદર ગુપ્તપણે પુષ્કળ દ્રવ્ય સ્થાપન કર્યું. તે જ પ્રમાણે સેનાપતિ, મંત્રી, મોટા સુભટો વગેરેનાં નિવાસસ્થાને નોની નીચે પણ તેમને લાયક ધન ભોંયમાં દાટયું અને તે ધનની ઉપર ધૂળ વગેરે સારી રીતે પૂરીને દ્રવ્ય ન દેખી -શકાય તેવી રીતે રક્ષિત કર્યું. અનકમે ચંડપ્રદ્યોત રાજાના સિનિકે એ વાવડીના પાણી ફરતે જેમ માછલીઓ ઘેરે ઘાલે તેમ રાજગૃહી નગરીની ફરતો ઘેરો ઘાલ્યો. નગરીની ફરતો સિન્યને ઘેરે નાખેલ દેખીને પીરવાસીજન જેવી રીતે મીનરાશિમાં શનિ આવે ત્યારે ભયનું કારણ ઉત્પન્ન થાય, તેમ તે નગરના પ્રલયની શંકા કરતા દૈન્યભાવને પામી ગયા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust