________________ 160 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 તે બન્નેએ પસાર કર્યા. એમ કરતાં કૌમુદી મહોત્સવને દિવસ આવી લાગ્યું. મહોત્સવના દિવસે રાજા પિતાના મંડળ સહિત સાંજના સમયે શહેર બહારમાં ઉદ્યાનમાં ગયો. પ્રજાના સર્વ માણસે. પણ ત્યાં આવી લાગ્યાં. સુનંદાની માતા મહારાણીએ પિતાની. પુત્રી સુનંદાને મહોત્સવ પ્રસંગે સાથે આવવા કહ્યું. સુનંદા અગાઉથી જ કપાળ ઉપર ઔષધને લેપ કરી નીચું મોં કરીને પલંગ ઉપર પડી હતી. આવી સ્થિતિ જોઈને માતાએ સુનંદાને પૂછયું : “પુત્રો, તને શું વ્યાધિ થઈ આવ્યો છે? માતાનું કહેવું સાંભળીને તે માંદા માણસની માફક ધીમેથી બેલી, “બા ! આજે છ ઘડી દિવસ બાકી રહ્યો. ત્યારથી મારા માથામાં વર્ણવી ન શકાય તેવું દુઃખ થવા, લાગ્યું છે, તેથી મારાથી માથું પણ ઊંચું કરી શકાતું નથી.” મહારાણીએ કહ્યું; “ત્યારે તો હું પણ ઉદ્યાનમાં. જવાનું માંડી વાળું છું, હું તારી પાસે જ રહીશ.” સુનંદાએ. કહ્યું, “બા ! એ તો કાંઈ ઠીક નહિ દેખાય. કેમ કે તમે રાજાની પટ્ટરાણું છે, તેમજ બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ ગણાઓ. છે, તેથી તમારા ગયા સિવાય દેવતા પ્રસન્ન નહિ થાય. કદાચ તેમ થવાથી દેવને ભારે કેપ થતાં વિઘ પણ આવી પડે. માટે દાસદાસીઓ સાથે તમે તે જરૂર જાઓ ! અને સારી રીતે મહત્સવ કરો. જો બે ચાર ઘડીમાં મારું માથું ઊતરી જશે તો હું પણ જરૂર આવીશ. મારી બે જ સખીઓને અહીં રહેવા દઈ બાકીના બધાને લઈને જજો.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust