________________
家隊隊球隊樂隊
૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કાંબળ, ૮ રજોહરણ, ૯ સેય, ૧૦ અરતો, ૧૧ નખ તથા દાંત સુધારવાનું અસ્ત્ર અને ૧૨ કાન ખોતરવાનું સાધન. આ બાર વસ્તુઓમાંથી કોઈપણ સ્વીકારે છે તેથી કઈક વખત દોષવાળા આહારનો પ્રસંગે ઉપસ્થિત થાયતેમ જ સાધુઓને ઉપાશ્રય મળવો દુર્લભ થાય.
જે સાધુઓ આખી રાત્રિ જાગતા રહે અને સવારના પહોરમાં બીજા કોઈ સ્થળે પ્રતિક્રમણ કરી આવે તે મૂળ ઉપાશ્રયનો સ્વામી શય્યાતર થતો નથી. પરંતુ જે સાધુઓ મૂળ ઉપાશ્રયમાં નિદ્રા લે અને સવારના પહોરમાં બીજા સ્થાને જઈ પ્રતિક્રમણ કરી આવે તો એ બંને સ્થાનનો સ્વામી શય્યાતરો કહેવાય. ચારિત્રની ઈરછાવાળો ઉપધિ સહિત શિષ્ય, તૃણ, માટીનું ઢેકું, માગું કરવાની કુંડી, ભસ્મ, પાટલો, બાજોઠ, શવ્યા, સંથારો અને લેપ વગેરે વસ્તુઓ શય્યાતરની પણ ખપે. ત્રીજે ૯૫ સંપૂર્ણ.
“રાજપિંડ” એટલે સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, મંત્રિ અને સાર્થવાહ વગેરે જેને હોય અને જેનો રાજ્યાભિષેક કરાવેલો હોય એવા રાજાને પિંડ. આ રાજપિંડ આઠ પ્રકારનો છે –૧ અશન, ૨ પાણી. ૩ ખાદિમ, ૪ સ્વાદિમ, ૫ વસ્ત્ર, ૬ પાત્ર, ૭ કાંબલ અને ૮ રજોહરણ. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુઓને આ આઠ પિંડમાંથી કેઈપણ પિંડ કહ્યું નહિ. કારણકે રાજા પાસે આવવા-જવામાં સામંતે વગેરે તરફથી સાધુઓને પિતાના સ્વાધ્યાયમાં ખલેલ પહોંચે. વળી કેટલાક સાધુના શુકનને અપશુકન ગણે છે, તેથી સાધુઓના શરીરને વ્યાઘાત થવાનો પણ સંભવ રહે છે, વળી સાધુઓને ખાવાની લાલચ લાગુ પડે અને તેથી સાધુઓની લઘુતા અને નિંદા વગેરે થવાનો સંભવ હોવાથી સાધુઓને રાજપિંડને
*
Jain Educ
a
tional
For Private & Personal Use Only
ab ore