________________
છઠું વ્યાખ્યાન પછી ચાર જ્ઞાનવાળા પ્રભુ મહાવીરે બંધુવર્ગની અનુમતિ લઈ વિહાર કરવાને પ્રસ્થાન કર્યું. આ બંધવર્ગ પણ પ્રભુ દ્રષ્ટિગોચર થયા ત્યાં સુધી તેઓની પાછળ નીરખી રહ્યો. તેઓ બોલવા લાગ્યા કે :–“હે વીર ! તમારા વિના અમને ઘર પણ હવે શુન્ય અરણ્ય જેવું લાગશે ! ત્યાં અમારાથી શી રીતે રહેવાશે ? હે પ્રભુ ! તમારા વિના અમને વાર્તાલાપને આનંદ કયાં મળશે ? હવે અમે કેની સાથે બેસીને ભેજન કરીશું ? હે આર્ય! દરેક કાર્યમાં અમે તમને ‘વીર વીર’ કહીને બાલાવતા. અને તમારાં દર્શન માત્રથી જ અમને કેટલો બધો આનંદ તથા પ્રેમભાવ ઉત્પન્ન થતો ? આજે અમે આશ્રય વગરના બની ગયા છીએ. હવે અમને કોણ આશ્રય આપશે? હે બાંધવ ! અમારી આંખોને અમૃતાંજન જેવું અતિ પ્રિય દર્શન હવે અમને ફરી ક્યારે થશે ? તમારું ચિત્ત
૩૪
Jain Edu
For Private & Personal Use Only
kerary.org