Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series

View full book text
Previous | Next

Page 622
________________ તે તરફ શ્રમણ ભગવંતો તપસ્વીની તપાસ કરી શકે છે. ૬૧ ચોમાસું રહેલા સાધુઓને કે સાધ્વીઓને ચોમાસામાં ઔષધ માટે, વૈદ્યને માટે અથવા બિન ગ્લાનની સારવાર કરવા માટે ચાર પાંચ યોજન જઈને પણ પાછા આવવાનું ક૯પે છે, પણ ત્યાં રહેવું કહ્યું નહીં. જે પોતાના સ્થાને આવી શકે તેમ ન હોય તો તેની વચ્ચે પણ આવીને રહેવું કઉં, પણ તે જગ્યાએ રહેવું ન કલ્પે. કારણ કે ત્યાંથી નીકળી જવાથી વીર્યાચારનું આરાધન થાય છે. જ્યાં જવાથી જે દિવસે વર્ષાક૯૫ આદિ મળી ગએલ હોય તે દિવસની રાત્રિ ત્યાં રહેવું ન કહ્યું, નીકળી જવું કહ્યું. તે રાત્રિ ઉલ્લંઘવી ને કહ્યું. કાર્ય થયે છતે તુરત જ બહાર નીકળીને રહેવું, એ ભાવ જાણવો. ૬ર એ પ્રમાણેના આ સ્થવિરક૯૫ને સૂત્રમાં કહ્યા પ્રમાણે, ૯૫ના–આચારના–ધોરણ પ્રમાણે, ધર્મમાર્ગને અનુસાર, જે રીતે સાચું હોય એ રીતે શરીર દ્વારા સ્પર્શીને–ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશોભન રીતે દીપાવીને, તીર સુધી લઈ જઈને-જીવનના અંત-છેડા–સુધી પાળીને, બીજાને પળાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિગ્રંથો તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વદુ:ખના અંતને કરે છે. બીજા કેટલાક બીજા ભવમાં સિદ્ધ થાય છે યાવતુ સર્વદુ:ખોના અંતને કરે છે. વળી, તે રીતે વિકલ્પને આચરનારા સાત કે ૨૮ For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 620 621 622 623 624 625 626 627 628 629 630