Book Title: Ashtanhika Kalp Subodhika
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Sanshodhan Series

View full book text
Previous | Next

Page 590
________________ કો અધિક હોય ત્યારે વીશ દિવસે જ લોચ આદિ કૃત્યયુક્ત પર્યુષણ કરે છે, તે પણ અયુક્ત છે, કારણ કે મવદિકવિતા એ વચન ગૃહિતજ્ઞાત (પર્યુષણ) માત્રની અપેક્ષાએ છે. અન્યથા 'आसाढपुण्णिमासीए पज्जोसविति एस उस्सग्गो, सेसकालं पज्जोसविताणं अववाउत्ति એટલે આષાઢ માસમાં પર્યુષણા કરવી એ ઉત્સર્ગ છે અને બાકીના કાળમાં પર્યુષણા કરવી એ અપવાદ છે. એવા નિશીથગ્રુણિના દશમાં ઉદ્દેશાના વચનથી તે અષાઢ પૂર્ણિમાએ જ લોચ આદિ કૃત્યયુક્ત પર્યુષણા કરવી જોઈએ. આ સંબંધમાં વધારે કહેવાની કોઈ જરૂર નથી. કલ્પને વિષે કહેલી ૧ દ્રવ્ય, ર ક્ષેત્ર, ૩ કાલ અને ૪ ભાવરૂપ સ્થાપના આ પ્રમાણે છે:–૧ દ્રવ્યથાપના એટલે તરખલું, ડગલ, છાર, મદ્રુકકુંડી વગેરેને પરિભેગ કરો અને સચિત્ત આદિનો ત્યાગ કરો. તેમાં સચિત્ત દ્રવ્ય એટલે અતિ શ્રદ્ધાવાળા રાજા, અને રાજાના પ્રધાન સિવાય શિષ્યને દીક્ષા આપવી નહીં. અચિત્ત દ્રવ્ય એટલે વસ્ત્ર આદિ ગ્રહણ કરવા નહીં. મિશ્ર દ્રવ્ય એટલે ઉપધિ સહિત શિષ્ય ગ્રહણ કરવો નહીં. ૨ ક્ષેત્ર સ્થાપના એટલે એક યોજન અને એક ગાઉ—પાંચ ગાઉ જવું આવવું કપે અને ગ્લાનને માટે વૈદ્ય ઔષધ આદિના કારણે ચાર, અથવા પાંચ જન જવું આવવું કલ્પ, ૩ કાલરથાપના એટલે ચાર માસ રહેવું તે. ૪ ભાવ સ્થાપના એટલે ક્રોધ આદિ વિવેક અને ઈર્યાસમિતિ આદિને વિષે ઉપયોગ. ૮ ચોમાસું રહેલા સાધુ અથવા સાધ્વીઓને ચારે દિશા અને વિદિશામાં પાંચ ગાઉ સુધીમાં પહ૬ Jan Education Interational For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630