________________
家、家家家家、家來第
અને ભાવથી મંડિત થએલા છે, પરંતુ હું કાંઈ તેવો નથી. તેથી હું માથે ચટલી રાખીશ અને હજામત કરાવીશ. સાધુઓ સર્વથા પ્રાણી હિંસાથી નિવૃત્ત થએલા છે, પણ હું માત્ર સ્થૂલહિસાથી વિરતી પાળીશ. શીલરૂપ સુગંધીથી સાધુઓ હમેશાં સુવાસિત રહે છે, પણ હું કાંઈ તેવો નથી. તેથી હું શરીરે ચંદન વગેરે સુગંધી દ્રવ્યોનું વિલેપન કરીશ. સાધુઓ મેહ રહિત છે. હું તો માહથી ભરેલો છું. તેથી હું છત્ર રાખીશ. સાધુઓ ઉઘાડા પગે ચાલનારા છે. હું તો પગમાં પાવડીઓ પહેરીશ. સાધુઓ કષાય રહિત છે. પણ હું તો કષાય સહિત છું, તેથી હું રંગેલાં વસ્ત્ર પહેરીશ. સાધુઓ સ્નાન કરતા નથી, હું તો થોડા પાણીથી સ્નાન અને પાન કરીશ. આવી રીતે પિતાની બુદ્ધિથી તેણે પરિવ્રાજકનો વેશ ઉપજાવ્યો. તેનો આવો વિચિત્ર વેશ જોઈ લેકે તેને ધર્મ વિશે પ્રશ્ન પૂછવા લાગ્યા. પૂછનારની પાસે તે સાધુધર્મનું વર્ણન કરતો. તેની દેશના આપવાની શક્તિથી ઘણું રાજપુત્રો પ્રતિબોધ પામ્યા, અને તે બધા શ્રીષભદેવ ભગવાનના શિષ્ય બની, પ્રભુની સાથે જ વિહાર કરતા હતા.
- એક વખતે ભગવાન વિહાર કરતા કરતા અયોધ્યામાં સમેસર્યા. તેઓશ્રીને વંદન કરવા આવેલા ભરતે પૂછયું કે: “સ્વામિન! આ પર્ષદામાં કોઈ એવો જીવ છે કે જે આ ચોવીશીમાં ભરતક્ષેત્રમાં તીર્થકર થવાને હોય?’
પ્રભુએ હ્યું કે: “ભરત! તારો આ મરીચિ નામનો પુત્ર આ અવસર્વિણીમાં વીર નામનો
,
I
Jain
For Private & Personal Use Only
library.org