________________
點羞鄉繼舞资縣縣縣资界
અનુચરોને નિ:સંતાન શેઠના ઘરની તમામ ઋદ્ધિ-સિદ્ધિ લેવા માટે મોકલ્યા. તે વખતે અમના પ્રભાવથી ધરણંદ્રનું આસન કંપ્યું. ક્ષણમાત્રમાં ધરણેકે સઘળે વૃતાંત જાણી લીધો. અને તાત્કાલિક બ્રાહ્મણને વેશ લઈ પૃથ્વી ઉપર આવીને તેણે જમીનમાં દાટેલા બાળક ઉપર અમૃત છાંટી તેને સાવધાન કર્યો. પછી પેલા રાજાના કરોને શેઠની સમૃદ્ધિ લઈ જતાં અટકાવ્યા. નોકરોએ જઈને રાજાને કહ્યું કે એક અજાણ્યા બ્રાહ્મણ અમને અમારી ફરજ બજાવતાં અટકાવે છે. આ સાંભળી વિજયસેન રાજા ત્યાં આવ્યા અને કહેવા લાગ્યું કે:-“હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! અમારા રાજ્યના નિયમ પ્રમાણે જે કંઈ પ્રજાજન નિઃસંતાન ગુજરી જાય છે અને જેને કોઈ પણ વારસદાર નથી હોતો તેની બધી સમૃદ્ધિ રાજ્યના ખજાનામાં જ જવી જોઈએ એવો નિયમ છે, તો પછી તમે તે લેવાની કેમ ના પાડે છે ?'
ધરણે કહ્યું કે:-“હે રાજન ! શ્રીકાંત શેઠનો પુત્ર જીવતો-જાગતો મોજુદ છે. એમ કહીને ધરણે ભૂમિમાંથી સાક્ષાત ધનભંડાર કાઢી બતાવે તેમ તે મરેલા ગણાતા પુત્રને બહાર કાઢી બતાવ્યો | અને તે જીવત જ છે એમ સાબીત કરી બતાવ્યું.
રાજા આશ્ચર્યથી આભે બની ગયો. તેણે પ્રશ્ન કર્યો કે;–“હે બ્રાહ્મણશ્રેષ્ઠ ! આપ કોણ છો અને ક્યાંથી આવ્યા છે તે જરા કહી સંભળાવશે ???
ધરણું પોતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરતાં કહ્યું કે –“ ધરણંદ્ર નાગરાજ છું. શ્રીકાંત શેઠના પુત્રે બાળક અવસ્થામાં અઠ્ઠમતપ કરેલો હોવાથી તેની સહાય કરવા માટે અહીં
Jain F
national
For Private & Personal Use Only
library.org